અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપની ભાગીદારી કરશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુસાર અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાનીવાળા ગ્રુપે સોમવારે કહ્યું કે મુંબઈ એરપોર્ટમાં જીવીકે સમૂહની ભાગીદારી ખરીદવા તથા તેના સંચાલન કરવાના કરાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે AAIA દ્વારા આ વર્ષે અદાણીને અમદાવાદ, મેંગલુરુ અને લખનૌ 3 એરપોર્ટનું મેનેજમેન્ટ સંભાળવા માટે વધુ 3 મહિના આપવામાં આવ્યા છે. એનો મતબલ છે કે તેમની પાસે તેનું મેનેજમેન્ટ સંભાળવા માટે 12 નવેમ્બર સુધીનો સમય છે.
મુંબઈ એરપોર્ટમાં GVK સમૂહની ભાગીદારી ખરીદવાના કરાર કર્યા
બન્ને કંપનીઓએ આ કરારની નાણાકીય બાબતનો ખુલાસો નથી કર્યો
મોદી સરકાર કેટલાક એરપોર્ટ ખાનગી હાથોમાં આપી શકે છે.
અદાણીએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ખરીદ્યુ- અદાણી એન્ટરપ્રાઈઝે શેર માર્કેટને મોકલેલી માહિતીમાં કહ્યું કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે જીવીકે એરપોર્ટ ડેવલપર્સના દેવાને લઈને ભાગીદારીનો કરાર કર્યો છે. જીવીકે સમૂહની પાસે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ (MIAL-Mumbai International Airport Limited)ની 50.50 ટકા ભાગીદારી છે. દેવાને ઈક્ક્ટીમાં ફેરવવામાં આવશે તેમ જણાવાવમાં આવ્યું છે.
બન્ને કંપનીઓએ આ કરારની નાણાકીય બાબતનો ખુલાસો નથી કર્યો. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ માયલમાં એરપોર્ટ્સ કંપની ઓફ સાઉથ આફ્રીકા(ACSA) તથા બિડવેસ્ટની 23.5 ટકા ભાગીદારીના અધિગ્રહણ માટે પગલાં ભરશે.
આ માટે તેને ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઈ)ને મંજૂરી મળી ચૂકી છે. આ કરાર પુરા થયા બાદ જીવીકેની 50.50 ટકા ભાગીદારીની સાથે મુંબઈ એરપોર્ટમાં અદાણી ગ્રુપની 74 ટકા ભાગીદારી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ગત કેબિનેટ મીટિંગમાં સાર્વજનિક, ખાનગી ભાગીદારીના મધ્યમથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AII)ના જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને ભાડે આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ મંજૂરી સરકારના પબ્લિક- પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ આપી છે. એટલે કે 3 એરપોર્ટ હવે ખાનગી કંપનીઓ ચલાવશે. આ બાબતની ચર્ચા પહેલાથી હતી કે મોદી સરકાર કેટલાક એરપોર્ટ ખાનગી હાથોમાં આપી શકે છે.