દેશના 12 સૌથી મોટા પોર્ટ (બંદર) ને સ્વાયત્તતા બક્ષવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.
દેશના 12 સૌથી મોટા પોર્ટ (બંદર) ને સ્વાયત્તતા બક્ષવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું આ બીલમાં પોર્ટ સેક્ટરનો કારોબાર સરળ બનાવવાની જોગવાઈ છે.
12 મોટા બંદરો ખાસ મિત્રને સોંપી દેવાનો સરકારનો ઈરાદો લાગી રહ્યો છે-કોંગ્રેસ સાંસદ
કેન્દ્ર સરકાર સૌથી પહેલા લોકસભામાં મેજર પોર્ટ ઓથોરિટી ખરડો,2020 રજૂ કર્યો હતો જે સર્વસંમતિથી પસાર થઈ ગયો હતો.
લોકસભામાં પણ મેજર પોર્ટ ઓથોરિટી બીલ પસાર થઈ ચૂક્યુ છે
મેજર પોર્ટ ઓથોરિટી ખરડામાં 12 મોટા બંદરને ડિસિઝન મેકિંગમાં મોટી આઝાદી અપાવવાની જોગવાઈ છે. બુધવારે રાજ્યસભામાં પણ મેજર પોર્ટ ઓથોરિટી ખરડા પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
રાજ્યસભામાં મેજર પોર્ટ ઓથોરિટી બિલ, 2020 ને રજૂ કરતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ ખરડામાં પોર્ટ સેક્ટરનો કારોબાર સરળ બનાવવાની જોગવાઈ છે. કોંગ્રેસ સાંસદ શક્તિકાંત ગોહિલે એવું જણાવ્યું કે આ ખરડો નબળો છે અને તેમાં કેટલાક ચોક્કસ હિતધારકોને ફાયદો થશે. શું આ ખરડો મિત્રોને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવ્યો છે. મિત્રના નામે એરપોર્ટ કરવામાં આવી રહ્યાં છે અને હવે 12 મોટા બંદરો પણ એક ખાસ મિત્રને સોંપી દેવાનો સરકારનો ઈરાદો લાગી રહ્યો છે.