કોરોના વાયરસની વિરુદ્ધ જંગ અને તેને લઇને ઉઠાવેલા પગલાની પ્રશંસા કરી છે
તેઓએ આગળ લખ્યું, દેશમાં હૉટસ્પોટ ચિન્હિત કરવા અને લોકોને આઇસોલેશનમાં રાખવા માટે લૉકડાઉન, ક્વૉરન્ટાઇનની સાથે-સાથે આ મહામારીથી લડવા માટે જરૂરી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવું પ્રશંસનીય છે.
બિલ ગેટ્સે પત્રમાં આગળ લખ્યું છે કે આપની સરકાર ડિજીટલ ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. ગેટ્સે કહ્યું, મને ખુશી છે કે આપની સરકારે કોરોના વાયરસ ટ્રેકિંગ, સંપર્ક ટ્રેસિંગ અને સ્વાસ્થ્ય સેવાઓથી લોકોને જોડવા માટે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ અનુસાર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસ વધીને 20,471 થઇ ગયા છે. ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર નો આંકડો 652 પર પહોંચી ગયો છે. જ્યારે ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1,486 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 49 લોકોના મોત થયા છે. જોકે થોડી રાહતની વાત એ છે કે કોરોના બીમારીથી અત્યાર સુધીમાં કુલ 3960 લોકો ઠીક થયા છે. દેશમાં કોરોના મહામારીને રોકવા માટે 3 મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે.