સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો મામલામાં 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા સજામુક્ત કરવાને લઈને પડકાર આપતી અરજીને સૂચીબદ્ધ કરવા પર વિચાર કરવા માટે સહમત થઈ ગઈ છે. અહીં ઉલ્લેખનિય છે કે, સામૂહિક બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા 11 દોષિતોને સમય પહેલા સજામુક્ત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બિલ્કિસ બાનોએ ગુજરાત સરકારના આ નિર્ણયને પાછો લેવા અને ડર્યા વગર અને શાંતિથી જીવન જીવવાનો તેમનો અધિકાર પાછો આપવાની અપીલ કરી હતી.
બિલ્કિસ બાનોથી સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યાના મામલામાં દોષિત તમામ 11 લોકોને ગુજરાત સરકારે માફી નીતિ અંતર્ગત માફી આપી દીધી છે. જે બાદ 15 ઓગસ્ટના રોજ તેમને ગોધરાની સબજેલમાંથી સજામુક્ત કરવામાં આવ્યા હતા.
પોતાના નિવેદનમાં બાનોએ કહ્યું હતું કે, બે દિવસ પહેલા 15 ઓગસ્ટ 2022ના રોજ જ્યારે મેં સાંભળ્યું કે મારો પરિવાર અને મારી જીંદગી બર્બાદ કરનારા, મારી પાસેથી ત્રણ વર્ષની બાળકી છીનવી લેનારા 11 દોષિતો આઝાદ થયા છે, તો 20 વર્ષ જૂની ભયાનકતા મારી આંખો સામે ફરી તાજી થઈ ગઈ.