ગુજરાત સરકાર દ્વારા માફી નીતિ અંતર્ગત છોડી મુકવામાં આવેલા બિલકિસ બાનો કેસના 11 દોષિતો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ આપ્યા છે.
બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકાર છોડી મુક્યા હતા
માફી નીતિ અંતર્ગત આ દોષિતોને સમય પહેલા છુટ્ટા કર્યા હતા
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ આપ્યા
ગુજરાતમાં 2002માં રમખાણોની પીડિતા બિલકિસ બાનોના દોષિતોને સજામુક્ત કરવાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં દાખલ તમામ અરજી પર નોટિસ જાહેર કરી છે. પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો મામલે રાજ્ય સરકારને નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે અઠવાડીયામાં દોષિતોને સજા મુક્ત સાથે જોડાયેલ દસ્તાવેજો રજૂ કરવા માટે કહ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં આ મામલાની આગામી સુનાવણી ત્રણ અઠવાડીયા બાદ થશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પણ અરજી પર બે અઠવાડીયામાં જવાબ દાખલ કરવા માટે કહેવાયું છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં સજામુક્ત થયેલા 11 લોકોની અરજીકર્તા તરફથી પક્ષ ન બનાવાને લઈને શુક્રવારે સુનાવણી ટળી ગઈ હતી.
11 દોષિતોને સજામુક્ત કરવામાં આવ્યા
બિલકિસ બાનોએ આ મામલે કહ્યું હતું કે, તેમના અને તેમના પરિવારના સાત લોકો સાથે જોડાયેલ આ કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા 11 દોષિતોને સમય પહેલા મુક્તિથી ન્યાય પર તેમનો વિશ્વાસ ડગી ગયો છે. બિલકિસ બાનો સામૂહિક બળત્કાર અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા મામલામાં દોષિત તમામ 11 લોકોને ગુજરાત સરકાર માફી નીતિ અંતર્ગત સજા માફી આપી દીધી હતી. જે બાદ 15 ઓગસ્ટે તેમને ગોધરાની સબ જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી.