પાકિસ્તાનના વિદેશમંત્રીએ પ્રધાનમંત્રી મોદી કરેલ પર આપત્તિજનક ટિપ્પણીનો મામલે આજે ભાજપ દ્વારા અલગ-અલગ સ્થળોએ પાકિસ્તાન અને પાકિસ્તાની વિદેશ મંત્રીના પૂતળા બાળશે.
પાકિસ્તાનના વિદેશમંત્રીએ પ્રધાનમંત્રી મોદી કરેલ પર આપત્તિજનક ટિપ્પણીનો મામલે
આજે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન
અલગ-અલગ સ્થળોએ પાકિસ્તાન અને પાકિસ્તાની વિદેશ મંત્રીના પૂતળા બાળશે
આતંકવાદને લઈને UNSC માં ભારત સતત પાકિસ્તાનની પોલ ખોલી રહ્યું છે અને વારંવાર વિશ્વ મંચ પર ભારત પ્રહાર કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના વિદેશમંત્રીએ પ્રધાનમંત્રી મોદી પર આપત્તિજનક શબ્દો સાથે ટિપ્પણી કરી છે. જેને લઈને વિરોધ ઉઠ્યો છે. ત્યારે ભાજપે પોતાના નિવેદનમાં કહ્યું કે એક તરફ આપણી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમના નેતૃત્વમાં ભારતે વિવિધ વૈશ્વિક પ્લેટફોર્મ પર અમીટ છાપ છોડી છે. બીજી બાજુ પાકિસ્તાન છે જેને વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર અપમાનનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા ભાજપે નારાજગી દર્શાવી જણાવ્યું કે આ શરમજનક અને અપમાનજનક છે. એટલું જ નહીં ભાજપે આજે શનિવારે આ મુદ્દે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ ભજપના કાર્યકરોએ શુક્રવારે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિરોધને લઈને ભાજપે કહ્યું કે...
આ મામલે આને દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપે આ અંગેના નિવેદનમાં કહ્યું છે કે પોતાના કાર્યકરો દેશભરમાં અલગ-અલગ સ્થળોએ પાકિસ્તાન અને પાકિસ્તાની વિદેશ મંત્રીના પૂતળા બાળશે અને નિંદા કરશે.ભાજપે વધુમાં કહ્યું કે પાકિસ્તાની વિદેશ મંત્રીની ટિપ્પણી અત્યંત અપમાનજનક અને કાયરતાથી ભરેલી છે. તેમના નિવેદનનો હેતુ વિશ્વને ગેરમાર્ગે દોરવાનો અને પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થા, પાકિસ્તાનમાં અરાજકતા, સૈન્યમાં વધતા મતભેદો અને બગડતા વૈશ્વિક સંબંધો પરથી ધ્યાન હટાવવાનો છે. પાકિસ્તાન આતંકવાદીઓનો મુખ્ય ગઢ બની ગયું છે.
ભાજપે કહ્યું આવું
ભાજપે જણાવ્યું કે બિલાવલ ભુટ્ટોએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો તે અત્યંત નિંદનીય છે. ભાજપે કહ્યું કે બિલાવલ ભુટ્ટો પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવા માટે કદના નથી. બિલાવલ ભુટ્ટોના આક્રોશભર્યા નિવેદનથી વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની છબી ખરાબ થઈ છે