ખેડૂત નેતા રાકેશ ટીકૈતે તાજેતરમાં કહ્યું હતું કે જો આપણાં પાકનો નાશ થાય તો પણ અમે આંદોલન ચાલુ રાખીશું. તેમના નિવેદન બાદ હવે બિજનોરના ખેડૂતે તેના ખેતરના પાકને બરબાદ કરી દીધો હતો.
ખેડૂતોનું આંદોલન યથાવત
બિજનોરના ખેડૂતે પોતાના ખેતરમાં ઉભેલા પાક પર ફેરવી દીધુ ટ્રેક્ટર
સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ
કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ નવા કૃષિ કાયદા સામે વિરોધ નોંધાવવાનાં મામલે ખેડૂતે 6 વીઘામાં ઉભેલો ઘઉંનો પાક બરબાદ કરી દીધો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિજનોરની ચાંદપુર તહસીલના કુલચાણા ગામનો સોહિત આહલાવત તેના પાક ઉપર ટ્રેક્ટર ફેરવતો નજરે પડી રહ્યો છે.
રાકેશ ટિકૈતે કરી હતી અપીલ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કિસાન મહાપંચાયત દરમિયાન ભારતીય ખેડૂત સંઘના નેતા રાકેશ ટીકૈતે આંદોલનને મહત્ત્વ આપવા ખેડૂતોને અપીલ કરી હતી. જો તેઓએ આ માટે તેમનો પાકને બરબાદ કરવો હોય તો કરી દો.
પાકના બગાડના વીડિયો અંગે રાકેશ ટિકૈતે જવાબ આપ્યો છે. રાકેશ ટિકૈતે યુપી ગેટ પર ખેડૂતોને સંબોધન કરતાં કહ્યું હતું કે 'સરકારે અમને એવી સ્થિતિમાં લાવ્યા છે કે જ્યાં ખેડૂતોએ તેમનો પાક બગાડવો પડે. આ સારી સ્થિતિ નથી. હું આ વિડિઓ જોઈને વ્યક્તિગત રૂપે ખૂબ જ દુ:ખી છું. પરંતુ એક સીઝનનો પાક બરબાદ કરવાની મારી જે વાત હતી તેનો આવો મતલબ નહોતો કે આ રીતે નુકસાન કરવાનો અર્થ નહોતો. પાકનો નાશ કરનાર ખેડૂત સોહિલ આહલાવતે જણાવ્યું હતું કે, "જ્યારે આ બિનજરૂરી કાયદા લાગુ કરવામાં આવશે, ત્યારે ખેડૂતોને તેમના પાકના ભાવની કોઈ ગેરેંટી મળશે નહીં."
સરકારને સંદેશો આપવા માટે ફેરવ્યું ટ્રેક્ટર
સોહિત અહલવાતે જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદાઓ લાગુ થયા પછી, ખેડૂતોને તેમના પાકની ચુકવણીની બાંયધરી અને સલામતી મળશે નહીં. આવી સ્થિતિમાં, જ્યારે આપણો દમન કરવો પડે, ત્યારે પાક કેમ ઉગાડવો. બિજનોરથી સરકારને સંદેશ આપવા માટે અમે પાકનો નાશ કર્યો છે.