જમ્મુ કાશ્મીરમાં બિનમુસ્લિમ પ્રવાસી મજૂરોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જેના પગલે હવે બિહારી મજૂરો રાજ્ય છોડવા મજબૂર બન્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં પ્રવાસી મજૂરોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. આ પ્રકારે બહારના અને વિધર્મી નાગરિકોની હત્યા કરી દેવામાં આવતા ભયનો માહોલ છે. બીજા પ્રદેશોમાંથી આવેલા લોકો હવે એટલા ડરી ગયા છે કે તેઓ પલાયન કરવા મજબૂર થઈ ગયા છે.
જમ્મુ રેલવે સ્ટેશન પર અત્યારે સમગ્ર નજારો બદલાઈ ગયો છે. જમ્મુ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોની ભીડ જોવા મળી હતી. જે પોતાના ઘરે જવા માગે છે.
જમ્મુ રેલવે સ્ટેશને ફૂટપાથ પર ભારે સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા છે અને બેસી ગયા છે. બધા પોત-પોતાના ઘરે જવા માટે નેક્સ્ટ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.
હવે પાછા કાશ્મીર નથી જવું
આ લોકો પોતાની હાલતનું વર્ણન કરતાં રડી પડ્યા હતા. મજૂરોના ભૂખથી ટળવળતા બાળકો રડી રહ્યા હતા. મજૂરોએ કહ્યું હતું કે અમે કદી કાશ્મીર પાછા નથી જવા માંગતા. કારણ કે આતંકવાદીઓ શોધી શોધીને મારી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે.
Araria, Bihar | Family of migrant labourer Yogendra Rishidev, who was killed by terrorists in J&K's Anantnag, mourns his death
My son had gone to Kashmir 3-4 months ago. He is survived by three children. The government should help us: Mother of Yogendra Rishidev pic.twitter.com/8i7GPlnsCM
રવિવારે બિહારના વધુ બે સ્થાનીય મજૂરોની કુલગામમાં આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી દીધી. ભાડાનીની દુકાન પર ગોળી ચલાવવામાં આવી હતી. આજે કુલગામના વાનપોહમા ભાડાની દુકાન પર આતંકીઓએ હુમલો કરી ગોળી બાર કર્યો. જેમાં બિહારના જોગિંદર અને રાજા રેશી દેવની હત્યા કરી છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટના પૂર્વ ધારાસભ્યના નિવાસ સ્થાનની પાસે થઈ છે.
પ્રવાસી કામદારોએ કહ્યું હતું કે તેમના જીવને જોખમ હોવાથી તેઓ પલાયન કરી રહ્યા છે. તેઓની પાસે કોઈ જમા પૂંજી તો છે નહીં, અને થોડા લોકોએ આરોપ લગાવ્યો હતો કે જે ઇંટોના ભઠ્ઠામાં તેઓ કામ કરે છે ત્યાંના માલિકે તેઓને એક રૂપિયો પણ નથી આપ્યો. અને તેના વગર જ તેઓ ઘરે પાછા ફરવા માટે મજબૂર બન્યા હતા. કારણ કે હવે વાત જીવ પર આવી ગઈ છે અને ગમે ત્યારે હત્યા થઈ જાય એવું પણ પોસિબલ છે.
જમ્મુ -કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા પરપ્રાંતિય મજૂર યોગેન્દ્ર ઋષિદેવનો પરિવાર તેમના મૃત્યુ પર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
યોગેન્દ્રના માતાએ કહ્યું હતું કે મારો પુત્ર 3-4 મહિના પહેલા જ કાશ્મીર ગયો હતો. તેમની પાછળ ત્રણ બાળકો છે. સરકારે અમને મદદ કરવી જોઈએ
J&K: A group of migrant workers leaves from Kashmir's Srinagar after recent incidents of targeted killings of non-Kashmiris by terrorists
"Situation is getting bad here. We're scared, we've children with us & hence going back to our hometown," says a migrant from Rajasthan pic.twitter.com/lcdUosH9eB
જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે કેમ કે આતંકવાદી ક્રુર હુમલામાં સામાન્ય નાગરિકોને સતત નિશાન બનાવી રહ્યા છે. પીડિતોના બિન મુસ્લિમ અલ્પસંખ્યક અથવા સ્થાનીય હોવાના કારણે આ હુમલાના નાગરિકોમાં ભય પેદા કર્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના દ્વારા ગત મહિનામાં ઓછામાં ઓછી 11 હત્યાઓના કારણે આતંકવાદીઓની વિરુદ્ધ કાર્યવાહી શરુ થઈ ગઈ છે.
બહારના લોકો પર 24 કલાકમાં 3 આતંકી હુમલા
ગત 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં બહારના લોકો પર થયેલો આ ત્રીજો હુમલો હતો. જેમાં બિહારનો એક સ્ટ્રીટ વેન્ડર અને યુપીનો એક કારપેન્ટરની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી દીધી છે. આ બન્ને હુમલા શનિવારે સાંજે કરવામાં આવ્યા હતા. આ મહિનામાં 11 નાગરિકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે. પોલીસે બિન મુસ્લિમ વિસ્તારની સુરક્ષા વધારી છે અને બહારના લોકોની યાદી તૈયાર કરવાનું શરુ કર્યુ છે. જેથી તેમને સુરક્ષિત કરી શકાય.