બિહારના ભાગલપુરમાં ગુરુવાર રાત્રિના એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક ઇમારતમાં મોટો વિસ્ફોટ થતા ત્રણ માળનું મકાન ધરાશાયી થતા 7નાં મોત નિપજ્યાં છે.
બિહારના ભાગલપુરમાં સર્જાઇ મોટી દુર્ઘટના
એક ઇમારતમાં મોટો વિસ્ફોટ થતા ત્રણ માળનું મકાન ધરાશાયી
અકસ્માતમાં 7ના મોત તો 10થી વધુ ઘાયલ
બિહારના ભાગલપુરમાં ગુરુવાર રાત્રિના એક ઇમારતમાં મોટો વિસ્ફોટ થતા ત્રણ માળનું મકાન ધરાશાયી થઈ ગયું છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યાં છે તો 10થી વધુ લોકો ઘાયલ થયા છે. પાડોશીઓનો એવો આક્ષેપ છે કે, ઘરમાં બોમ્બ બનાવવામાં આવ્યાં હતાં.
Bihar | 7 dead and several injured in an explosion in Tatarpur police jurisdiction in Bhagalpur dist
Prima facie it is coming to light that the family was involved in making firecrackers. 2-3 houses damaged. We are further investigating the matter: Bhagalpur DM, Subrat Kumar Sen pic.twitter.com/poKM63Loi4
આ ઘટના કાજવલીચક વિસ્તારમાં અનાથાશ્રમ પાસેની કહેવાઇ રહી છે. જે બિલ્ડીંગમાં આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો તે કોતવાલીથી માત્ર 100 મીટરનાં અંતરે આવેલ છે. આ વિસ્ફોટ બોમ્બ બ્લાસ્ટના કારણે થયો હોવાની આશંકા સેવાઇ રહી છે. બ્લાસ્ટ થતાની સાથે જ ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.
FSL ટીમની તપાસ બાદ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે નક્કી કરાશે
આ ગંભીર દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા તો 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાગલપુર ડીઆઈજી સુજીત કુમારે કહ્યું કે, "પ્રારંભિક તપાસમાં ગનપાવડર અને ગેરકાયદેસર ફટાકડા તેમજ દેશી બનાવટના બોમ્બથી વિસ્ફોટ થયાની વાત સામે આવી છે. જો કે, FSL ટીમની તપાસ બાદ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે નક્કી કરાશે.
ભાગલપુરના પૂર્વ ડેપ્યુટી મેયર પ્રતિ શેખરે જણાવ્યું કે, 'ભાગલપુરમાં બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ દિવસે ને દિવસે સતત વધી રહી છે. પોલીસ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.'