રાજધાની પટનાનાં ઓલ્ડ બાયપાસ સ્થિત કુમ્હરાર વિસ્તારમાં ફુટપાથ પર સૂઇ રહેલ લોકોને કાર સવારે કુચલી નાખ્યાં. ત્રણ બાળકોનાં ઘટનાસ્થળ પર જ મોત થતાં બેકાબુ થયેલ ભીડે કાર ચાલકને ઢોર માર મારીને ત્યાં જ મોતને ઘાટ ઉતારી નાખ્યો. આ સાથે જ કારને પણ સંપૂર્ણ રીતે તોડી નાખી. આક્રોશિત લોકોએ રસ્તા પર ટ્રાફિક જામ કરી નાખ્યો.
બિહાર (Bihar) માં એક દુઃખદાયક દુર્ઘટના (accident) માં ત્રણ બાળકોનાં જીવ છીનવી લીધાં છે. ફુટપાથ પર સુઇ રહેલ ચાર લોકોને બેકાબુ કારે કુચલી દીધાં છે. જેમાં ત્રણ બાળકો (Children) નાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયાં. એક અન્યની હાલત પણ નાજૂક જણાવવામાં આવી રહી છે. જેને પોલીસે હોસ્પિટલમાં ભરતી કરેલ છે.
રાજધાની પટનાનાં ઓલ્ડ બાયપાસ સ્થિત કુમ્હરાર વિસ્તારમાં ફુટપાથ પર સૂઇ રહેલ લોકોને કાર સવારે કુચલી નાખ્યાં. ત્રણ બાળકોનાં ઘટનાસ્થળ પર જ મોત થતાં બેકાબુ થયેલ ભીડે કાર ચાલકને ઢોર માર મારીને ત્યાં જ મોતને ઘાટ ઉતારી નાખ્યો. આ સાથે જ કારને પણ સંપૂર્ણ રીતે તોડી નાખી. આક્રોશિત લોકોએ રસ્તા પર ટ્રાફિક જામ કરી નાખ્યો. આ મામલાની ગંભીરતાને જોતા ભારે પોલીસ દળ ત્યાં તૈનાત કરી દેવાઇ.
Bihar: 3 children died, 1 injured after an SUV mowed then down while they were sleeping on the footpath in Agam Kuan area of Patna, yesterday. The locals later staged protest on the road. Police say, "3 children died, 1 injured. 1 man in the SUV also died. Investigation underway" pic.twitter.com/6SC5ESz0cu
ઉપરી પોલીસ અધિક્ષક બલિરામ ચૌધરીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એસયૂવી ચાલકનું પણ મોત થઇ ગયું છે જ્યારે એસયૂવીમાં સવાર ગંભીર રૂપથી ઘાયલ એક અન્ય વ્યક્તિ તથા ઘાયલ બાળકોને સવાર માટે નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ છે. આ દુર્ઘટના બાદ આક્રોશિત લોકોએ જાહેર રોડ પર ટાયર સળગાવીને રસ્તા પર ટ્રાફિક જામ કરી નાખ્યો.
ચૌધરીએ ચાલકની આક્રોશિત લોકો દ્વારા ધોલાઇ કરાયા બાદ મોત થવા મામલે ઇન્કાર કરતા કહ્યું કે, તે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થવાને કારણ તેનું સારવાર દરમ્યાન મોત થઇ ગયું. તેઓએ આક્રોશિત લોકો દ્વારા ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ પર પથ્થરમારો કરવા મામલે પણ ના કહી દીધી.