ટીમ ઇન્ડિયાના સૌથી સફળ બેટ્સમેનમાંથી એક એમએસ ધોનીના એક સાથે જૂના દિવસોને યાદ કરતા ખુલસો કર્યો કે, તેઓ માહીને 'આંતકવાદી' કહેતા હતા.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મેહન્દ્રસિંહ ધોની ઘણા તેમના મિત્રોનો બેસ્ટ ફ્રેન્ડ છે. આજે પણ તેઓ રાંચીના પોતાના મિત્રો સાથે એ સંબંધ રાખે છે જે પહેલા હતો. ધોનીના નજીકના મિત્રો કેપ્ટન કુલ અંગે ઘણી વાત કહે છે. ધોનીના બિહારની ટીમના એક ખેલાડી સત્યપ્રકાશે ધોની વિશે કેટલીક અજાણી વાત કહી હતી. એક જાણીતી ચેનલ સાથેના વાતચીતમાં સત્યપ્રકાશે જણાવ્યું હતું કે, અમે ધોનીને આતંકવાદી કહેતા હતા. તે 20 બોલમાં 40થી 50 રનનો ખડકલો કરી દેતો હતો. પણ જ્યારે દેશ તરફથી રમવાનું થયું ત્યારે તે સાધુ બની ગયો અને પોતાની વિચારધારા બદલી નાંખી હતી.
સત્યપ્રકાશે આગળ વાત કરતા ઉમેર્યું હતું કે, ''અગાઉ ક્યારેય ધોનીએ કેપ્ટનશીપ કરી ન હતી. પણ ભારતીય ટીમમાં આવ્યા બાદ ખૂબ સારી રીતે સિનિયર અને મહાન ખેલાડીઓ સાથે કેપ્ટનશીપ નિભાવી છે. અગાઉ તે કાયમ હિન્દીમાં વાત કરતો હતો. પણ હવે ધડાધડ અંગ્રેજી બોલી રહ્યો છે.''
અમે તેના મિત્રો ધોનીની ક્ષમતાને યોગ્ય રીતે સમજી ન શક્યા.સત્યપ્રકાશ હાલમાં ખડગપુર પ્રીમિયર લીગમાં રમી રહ્યા છે. આ વિશ્વકપ ધોનીની અંતિમ ટુર્નામેન્ટ હશે એ વાત પર વાત કરતા ઉમેર્યું હતું કે, ચેન્નઈ સુપરકિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે કહ્યું હતું કે, ''આવતા વર્ષે ધોની ફરી એક વખત સીએસકેનું ટીશર્ટ પહેરીને મેદાન પર પરત આવશે. આગામી સિઝનમાં ધોની ફરી જોવા મળશે. છેલ્લા બે વર્ષમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.''
વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં પણ ધોની ટીમ ઈન્ડિયા તરફથી ધમાકેદાર પર્ફોમન્સ આપશે. ક્રિકેટ નિષ્ણાંતોએ કહ્યું હતું કે, વર્લ્ડકપમાં મહેન્દ્રસિંહ ધોનીનો રોલ ખૂબ અગત્યનો છે. ધોનીના મોટાભાઈ નરેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું હતું કે, ''ટીમ ઈન્ડિયામાં એક વિકેટકિપર તરીકે તેનો રોલ ખૂબ મોટો છે. આ પહેલા ધોનીની કેપ્ટનશીપ હેઠળ World T20 2007 અને World Cup 2011 એમ બે મોટી ટુર્નામેન્ટમાં ભારતે વિજય મેળવ્યો છે.''