નર્મદાઃ બિનગુજરાતીઓના પલાયનનો મુદ્દો ફરી ઉછળ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરીને મુદ્દાને ફરી હવા આપી છે.
તેમણે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર બિહારમાં પગ નહી મુકી શકે. તેમનો આક્ષેપ છે કે અલ્પેશ ઠાકોરે બિન ગુજરાતીઓ પર હુમલા માટે લોકોને ઉશ્કેર્યા હતી.
મહત્વનું છે કે બિહારમાં છઠ્ઠ પૂજાનું ખાસ મહત્વ છે એવામાં અલ્પેશ ઠાકોર બિહારમાં છઠ્ઠ પૂજા કરવા જનાર છે. કારણ કે અલ્પેશ ઠાકોર બિહાર કોંગ્રેસના સહપ્રભારી છે અને છઠ્ઠ પૂજાના નામે પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ સમગ્ર ગુજરાતમાં બિનગુજરાતીઓના પલાયનનો મામલો ઉછળ્યો હતો. જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. ત્યારે ફરી આ મુદ્દે ગુજરાતની મુલાકાતે આવેલા બિહારના નાયબમુખ્યમંત્રીએ હવા આપી છે.