મહાન ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ સિંહનું આજે પટનામાં નિધન થયું છે. તેઓ છેલ્લા 40 વર્ષથી માનસિક બિમારી સિઝોફ્રેનિયાથી પીડાતા હતા. પૂર્વ સીએમ જીતન રામ માંઝી અને મુખ્યમંત્રી નિતિશ કુમારે પણ વશિષ્ઠ નારાયણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી નિતિશ કુમારે પણ નિધન પર વ્યક્ત કર્યો શોક
સમયસર ન મળી એમ્બ્યુલન્સની સુવિધા
74 વર્ષના વશિષ્ઠ નારાયણ સિંહ છેલ્લા 40 વર્ષથી બિમાર હતા. તેઓ પટનામાં કુલ્હરિયા કોમ્પલેક્સમાં પરિવાર સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત વધારે બગડી હતી. પરિવારજનો તેમને પીએમસીએચ લઈ ગયા. અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેમના મૃત્યુના 2 કલાક બાદ એમ્બ્યુલન્સની સુવિધા મળી હતી.
નિધનથી દુઃખી છે પરિવાર
મહાન ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ સિંહના નિધનથી પરિવારજનો ગમગીન બન્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વશિષ્ઠ નારાયણ સિંહ ખૂબ જ સન્માનિત સજ્જન હતા.
આઈન્સ્ટાઈનના સિદ્ધાંતને આપ્યો પડકાર
મહાન ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ સિંહે વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના નિયમને પડકાર્યો હતો. તેમના વિશે એક વાત ચર્ચામાં રહી હતી કે નાસામાં અપોલોના લોન્ચિંગ પહેલાં 31 કમ્પ્યુટર થોડા સમય માટે બંધ થયા હતા તો કમ્પ્યુટર રીપેર કરવા માટે વશિષ્ઠ નારાયણ સિંહ અને કમ્પ્યુટરનું કેલ્ક્યુલેશન એક સરખું હતું. વર્ષ 1969માં તેઓએ કૈલિફોર્નિયા યૂનિર્વસિટીથી પીએચડી કર્યું અને વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાં એસોસિયેટ પ્રોફેસર બન્યા. તેઓએ નાસામાં પણ કામ કર્યું હતું.