બિહારના મુઝફ્ફરપુરમાં 'મગજના તાવ'થી અત્યાર સુધીમાં 100થી વધારે બાળકોના મોત થઇ ચૂક્યા છે એવામાં આજે મુખ્યમંત્રી નીતિશ કુમાર સ્થિતિની ગંભિરતા જાણવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ નીતિશ કુમારનો જોરદાર વિરોધ કરતા નારેબાજી કરી. લોકોએ 'નીતિશ કુમાર પાછા જાઓ' ના નારા લગાવ્યા હતા.
આપને જણાવીએ કે, મુઝફ્ફરપુરમાં 'મગજના તાવ' એટલે કે એક્યૂટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમ (AES)થી અત્યાર સુધી 100થી વધારે માસૂમ બાળકોના મોત થયા છે.
#WATCH Locals hold protest outside Sri Krishna Medical College and Hospital in Muzaffarpur as Bihar CM Nitish Kumar is present at the hospital; Death toll due to Acute Encephalitis Syndrome (AES) is 108. pic.twitter.com/N1Bpn5liVr
આ જીવલેણ બીમારીથી મોતનો સિલસિલો ચાલુ છે ત્યારે 18માં દિવસે આજે મુખ્યમંત્રી નીતિશ કુમાર પીડિતોના હાલ જાણવા માટે મુઝફ્ફરપુરના SKMCH હોસ્પિટલ પહોચ્યા હતા. પરંતુ આ દરમિયાન એમને લોકોનો વિરોદનો સામનો કરવો પડ્યો.
પીડિત બાળકોના મોત પર લોકોમાં ગુસ્સો એટલો હતો કે, લોકોએ નીતિશ વાપસ જાઓ, મુર્દાબાદ અને હાય-હાયના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના આ વિરોધની આશંકા પહેલાથી લગાવાઇ રહી હતી. તેથી હોસ્પિટલમાં સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જોકે, તેમ છતા લોકોએ જોરદાર નારેબાજી કરી હતી.