બિહારમાં હાલમાં જે રીતે રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે, તેના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરી હતી.
બિહારમાં નીતિશ કુમારે ફરી એક વાર પલ્ટી મારી
એનડીએ સાથે ગઠબંધન તોડી મહાગઠબંધનમાં જોડાયા
તેજસ્વી યાદવ સાથે મળીને બનાવશે સરકાર
બિહારમાં હાલમાં જે રીતે રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે, તેના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરી હતી. તેજસ્વીએ કહ્યું હતું કે, ભાજપ લોકતંત્રને પડકાર આપી રહી છે. આજે નીતિશ કુમારે નિર્ણય લેવાનું કામ કર્યું છે. આખા દેશમાં શું થઈ રહ્યું છે, તે નથી ખબર ? ઝારખંડમાં શું થઈ રહ્યું છે નથી ખબર ? મહારાષ્ટ્રમાં શું થયું નથી ખબર ? બિહારના હિતમાં નીતિશ કુમારે સારો નિર્ણય કર્યો છે. બિહારમાં ભાજપનો કોઈ એજન્ડા નથી. જે એજન્ડા લઈને અહીં ચાલવા માગે છે, તેને અમે ચાલવા દઈશું નહીં. નડ્ડાજી વિપક્ષને ખતમ કરવા માગે છે. શું હવે દેશમાં આવું જ થશે ?
અમે એક જ પરિવાર છીએ
તેજસ્વી યાદવે કહ્યું છે કે, બિહારે દેશના દિશા બતાવાનું કામ કર્યું છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવામાં આવ્યો. આજે સંવિધાન બચાવાનું છે. તેજસ્વીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપનું કામ છે, જે વેચાય છે તેને ખરીદો. મુખ્યમંત્રીએ દેશના હિતમાં નિર્ણય લીધો. અમે મુખ્યમંત્રીને ધન્યવાદ આપીએ છીએ. નીતિશ સાથેના સંબંધને લઈને કહ્યું કે, અમે કાકા-ભત્રીજો છીએ, આરોપ પણ લગાવ્યા છે. દરેક પરિવારમાં લડાઈ થાય છે. હાલમાં સમય બદલાયો છે. નીતિશ કુમાર દેશના સૌથી અનુભવી સીએમ છે ? તો વળી શપથગ્રહણ પર કહ્યું કે, હાલમાં શપથગ્રહણની તારીખ નક્કી નથી થઈ.
BJPનું એક જ કામ છે, વિપક્ષને ડરાઓ- તેજસ્વી
તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપ નાના દળને ખતમ કરવા માગે છે. નડ્ડાજીએ કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ ખતમ થઈ જશે. અમે લોકો સમાજવાદી લોકો છીએ, એમ કંઈ ખતમ નહીં ંંથઈએ. પ્રધાનમંત્રી મોદી ખાલી પોતાનો પ્રચાર કરે છે. ભાજપનું ફક્ત એક જ કામ છે, વિપક્ષી પાર્ટીઓને ડરાઓ. જાતિગત વસ્તીગણતરી પર ભાજપે નજરઅંદાજ કરી હતી. તેમણે કહ્યું કે, આ કોઈ પહેલી વાર નથી, જ્યારે ભાજપને રોકવાનું કામ થયું હોય, આ અગાઉ લાલૂજીએ પણ અડવાણીનો રથ બિહારમાં રોક્યો હતો.