બિહારના ત્રણ વખતના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા ડો. જગન્નાથ મિશ્રા લાંબી બીમારી બાદ 19 ઓગસ્ટે દિલ્હીમાં નિધન થયું હતું. સુપૌલ જિલ્લાના વતન બલુઆમાં બુધવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અંતિમ સંસ્કાર સમયે જ્યારે મિશ્રાને ગાર્ડ ઓફ ઓનર આપતી વખતે 22 જવાનોએ થ્રી નોટ થ્રી રાઈફલથી હવામાં ફાયર કરવાનો પ્રયાસ કર્યો તેમાંથી એક પણની બંદૂકમાંથી ગોળી છૂટી ન હતી. નોંધનીય છે કે, આ સમયે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને સુશીલ મોદી પણ ત્યાં હાજર હતા.
આપને જણાવી દઇએ કે, ડો. જગન્નાથ મિશ્રાનો પાર્થિવ દેહ બલુઆ પહોંચ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજકીય સન્માન વખતે એક પણ ગોળી ન છૂટતા બિહાર પોલીસની લોકોએ મજાક ઉડાવી હતી.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાએ એક પ્રધ્યાપક તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને જે પછી તેઓ બિહાર યૂનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર પણ બન્યા હતા. જગન્નાથ મિશ્રાને રાજનીતિ અંગે ઘણુ જ્ઞાન હતુ, તેમના મોટા ભાઇ લલિત નારાયણ મિશ્રા રેલમંત્રી હતા. તમને જણાવી દઇએ કે, દેવઘર ઘાસ ઘોટાળા કેસમાં લાલૂ યાદવને કોર્ટે દોષિ જાહેર કર્યા હતા અને જગન્નાથ મિશ્રાને નિદોર્ષ જાહેર કર્યા હતા.
પૂર્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એક ઉચ્ચ સ્તરમાં શામેલ થયા પછી જગન્નાથ મિશ્રાને ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ છોડ્યા પછી તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થયા હતા અને જે પછી જનતા દળમાં શામેલ થયા.
30 સપ્ટેમ્બર 2013 ના રાંચીની એક વિશેષ કેન્દ્રીય તપાસ બ્યુરોએ તેમણે ઘાસ ઘોટાળામાં 44 અન્ય લોકોની સાથે સજા સંભળાવવી હતી, તે સમયે જગન્નાથ મિશ્રાને 4 વર્ષની જેલ અને 20000 રૂપિયાનો દંડ થયો હતો.