બિહારની રાજધાની પટનામાં વધતી જતી ઠંડી વચ્ચે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના પરિવારે મંગળવારે પાણીપુરી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આમ પાણીપુરી ખાવાની ઈચ્છા વ્યક્ત કરતાની સાથે પાણીપુરી વાળાને લાલુના પરિવારે ઘરે બોલાવી દીધો અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સહિત દિકરો તેજસ્વી યાદવ અને અને વહૂ રાજશ્રીને પાણીપુરીની મજામાણી હતી. તેજસ્વીના લગ્ન બાદ પહેલીવાર સાંજે રાબડી દેવીના પરિવારને પાણીપુરી ખાવાની ઈચ્છા હતી. જેના કારણે મુકેશ પાણીપુરી ભંડારવાળાને પોતાના નિવાસ્થાને બોલાવવામાં આવ્યો હતો.
લાલુ પ્રસાદના પરિવારે 15 પ્લેટ્ પાણી પુરી ખાધી
પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે પાણીપુરી વાળો અંદર ગયો ત્યારે તેણે લાલુ પ્રસાદના ઘરના તમામ સભ્યોને સ્વાદિષ્ટ પાણીપુરી ખવડાવી હતી.રાબડી દેવીના નિવાસ્થા પાસે પાણીપુરીની લારી લઈ જનારા મુકેશ કુમારે ઘરની બહાર આવીને જણાવ્યું હતું કે, તેમણે રાબડી દેવી, તેજસ્વી યાદવ, રમેશ ઉર્ફે રાજેશ્વરી અને પરિવારની અન્ય મહિલાઓને 15 પ્લેટ પાણીપુરી ખવડાવી હતી.
લાલુ પ્રસાદના પરિવારે 500 રૂપિયા પર પ્લેટ આપી
મુકેશ કુમારે જણાવ્યું કે, જ્યારે મને ખબર પડી કે મારે રાબડી દેવીના નિવાસ્થાને જઈને પાણીપુરી ખવડાવવાનો મોક મળ્યો છે. ત્યારે મને ખૂબ સારૂ લાગ્યું હતું. તેણે વધુમાં કહ્યું કે, તેજસ્વી યાદવ ઘણીવાર મારી લારીએ પાણીપુરી ખાવા આવવે છે. આ દરમિયાન રાબડી દેવીના આવાસ સ્થાન પરથી મને એક સુરક્ષાકર્મીનો બોલાવવા આવ્યો અને કહ્યું લાલુ પ્રસાદના પરિવારે તમને બોલાવ્યાં છે. મુકેશ કુમારે કહ્યું કે, હું લોકો પાસેથી 100 રૂપિયા એક પ્લેટ લઉં છું. પરંતુ જ્યારે પણ લાલુ પ્રસાદના પરિવાર મને બોલાવે છે ત્યારે તેઓ મને 500 રૂપિયા પર પ્લેટના આપે છે. મહત્વનું છે કે, તેજસ્વીના પોતેજ પાણીપુરી ખાવાનો ખૂબ શોખીન છે. તેમણે 2019ના લોકસભાની ચૂંટણી દરમિયાન બાજ એરપોર્ટ બાદ ઘરે પરત જતાં સમયે મુકેશના ચાટની દુકાન પર બેસીને ચાટ ખાતાં દેખાયા હતાં.