લોકસભા ચૂંટણી દરમિયાન બિહાર સરકારના મંત્રી લલ્લન સિંહ અને દિનેશ યાદવ સાંસદ બની જતાં બે મંત્રી પદ ખાલી પડ્યા છે. ત્યારે આજે નીતિશ કુમાર બિહાર કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. જેમાં ખાલી પડેલા 11 મંત્રી પદ ભરવામાં આવશે.
Bihar Chief Minister Nitish Kumar met Governor Lal Ji Tandon today. Bihar cabinet to be expanded tomorrow, four new ministers to take oath of office. (file pic) pic.twitter.com/WLq9UKJk6p
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વિસ્તરણમાં ભાજપના એકપણ નેતાને સ્થાન નહીં મળે. નીતિશ કુમારની કેબિનેટમાં નવા ચહેરોમાં શ્યામ રજક, નરેન્દ્ર નારાયણ યાદવ, નીરજ કુમાર, સંજય ઝા, રંજૂ ગીતા, અશોક ચૌધરી, લક્ષ્મેશ્વર રાય, બીમા ભારતી શામેલ થઈ શકે છે.
આ ઉપરાંત અન્ય નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. આ નવા મંત્રીઓને રાજ્યપાલ લાલજી ટંડન શપથ ગ્રહણ કરાવશે. મહત્વનું છે કે, રાજ્યમાં આગામી વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી છે. JDUનું કહેવું છે કે, પાર્ટી આગામી એક વર્ષ સંગઠન પર સંપૂર્ણ ફોકસ કરશે અને પછાત સમાજ માટે અટકેલા કાર્યો પૂર્ણ કરવાના પ્રયાસો કરશે.