બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પાંચ વર્ષ બાદ લાલુ યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થવાં રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા. નીતિશ કુમાર લાલુ યાદવના નિવાસસ્થાને પગ મૂકતાની સાથે જ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
બિહારના CM નીતિશ કુમાર પહોચ્યા લાલુ યાદવને ઘરે
પાંચ વર્ષ બાદ લાલુ યાદવની ઈફ્તાર પાર્ટીમાં થયા સામેલ
લાલુ યાદવના નિવાસસ્થાને પહોંચતા અનેક ચર્ચા શરૂ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પાંચ વર્ષ બાદ લાલુ યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થવાં રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા. નીતિશ કુમાર લાલુ યાદવના નિવાસસ્થાને પગ મૂકતાની સાથે જ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ઉલ્લેખનિય છે કે, બિહારની રાજનીતિમાં લોકોને પાંચ વર્ષ પહેલાની ઈફ્તાર પાર્ટીની યાદ આવવા લાગી છે કારણ કે, નીતિશ કુમારે પાંચ વર્ષ પહેલા લાલુનું નિવાસસ્થાન છોડ્યા બાદ પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા અને સંકેત આપ્યા હતા કે ગઠબંધનમાં મોટી ગાંઠ પડી ગઈ છે. જે લાંબો સમય ટકવાની નથી. આ સાથે નીતિશ કુમાર મહાગઠબંધનથી સતત અલગ લાઈન લઈ રહ્યા હતા. તેઓ ઘણા મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર સાથે જોવા મળ્યા હતા, પરંતુ લોકોને ખ્યાલ નહોતો કે તેઓ ભાજપ સાથે જશે, પણ ઇફ્તાર પાર્ટીના લગભગ એક મહિના પછી, નીતિશ કુમારે મહાગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આ વખતે શું નવા જૂની થશે તે તો આગામી સમય જ બતાવશે.
જાણકારી માટે આપને જણાવી દઈએ કે, એક દિવસ બાદ ગૃહમંત્રી અમિત શાહ બિહારના પ્રવાસે આવી રહ્યા છે. વીર કુંવરસિંહના વિજયોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગૃહમંત્રી ત્યાં આવવાની તૈયારી કરી રહ્યા છે. સૌથી વધુ તિરંગો ફરકાવવાનો રેકોર્ડ બનાવવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય તેમની બીજેપી નેતાઓ સાથે મુલાકાત પણ શક્ય છે. પરંતુ મોટી વાત એ છે કે સીએમ નીતિશ કુમાર અને અમિત શાહનો કોઈ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં બિહારમાં અમિત શાહના આગમન પહેલા નીતિશ કુમારના રાબડી દેવીના દરવાજે પહોંચવાથી મોટો મેસેજ મળ્યો છે.
बिहार के मुख्यमंत्री श्री @NitishKumar जी का राष्ट्रीय जनता दल द्वारा आयोजित दावत-ए-इफ्तार में आगमन और मा० नेता प्रतिपक्ष श्री @yadavtejashwi जी एवं अन्य वरिष्ठ नेताओं द्वारा किया गया उनका स्वागत। pic.twitter.com/Q5sUAYGXKR
હવે તે મેસેજ શું છે, કોઈ નેતા તેના વિશે ખુલીને વાત કરવા માંગતા નથી. બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું છે કે, આ ઈફ્તાર પાર્ટીનો કોઈ રાજકીય અર્થ ન કાઢવો જોઈએ. અમે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યારે પણ નીતિશ કુમાર ત્યાં ગયા હતા. હવે આરજેડીએ કર્યું છે, તેથી તેમની હાજરી ત્યાં પણ થઈ છે. મેં પણ રોઝા કર્યો હતો, તેથી તેજસ્વીજીએ મને બોલાવીને આમંત્રણ આપ્યું હતું.
સાથે જ ચિરાગ પાસવાને પણ આ દિશામાં પોતાનું નિવેદન આપ્યું છે. તેમને પણ નીતિશની આ બેઠકનું કોઈ રાજકીય મહત્વ દેખાતું નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બિહારની રાજનીતિમાં નીતિશ, ચિરાગ અને તેજસ્વી એકસાથે આવવાના છે, તો તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આવી કોઈ શક્યતા નથી. ઈફ્તારની મહેફિલને રાજકીય દૃષ્ટિકોણથી જોવી બિલકુલ યોગ્ય નથી.
Bihar CM Nitish Kumar reaches the residence of former Bihar CM & RJD leader Rabri Devi in Patna for an #iftar party. pic.twitter.com/tIprKdHUf0
હવે ચિરાગ પાસવાનનું આ નિવેદન રાજકારણ સિવાય સિમ્પલ લાગે છે, પરંતુ બિહારમાં ઈફ્તાર પાર્ટીઓના બહાને અનેક વખત મોટા રાજકીય મેસેજ આપવામાં આવ્યા છે. આવો જ એક મેસેજ પાંચ વર્ષ પહેલા બિહારમાં મહાગઠબંધનની સરકાર હતી, ત્યારે જોવા મળ્યો હતો. નીતિશ કુમાર સીએમ હતા, પરંતુ તેજસ્વી યાદવ એકસાથે નાયબ મુખ્યમંત્રી તરીકે ઉભા હતા. ત્યારબાદ 23 જૂન 2017ના રોજ લાલુ યાદવના ઘરે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે પણ આખો ખેલ એ ઈફ્તાર પાર્ટીના સમયનો હતો.
તે સમયે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી હતી. બે ઉમેદવારો મેદાનમાં હતા - બિહારના તત્કાલીન રાજ્યપાલ રામ નાથ કોવિંદ અને ભૂતપૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર. હવે મોટી રાજકીય રમત એ હતી કે, નીતીશ કુમારે ત્યારે કેન્દ્રના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન આપ્યું હતું. તે સ્પષ્ટ થઈ ગયું હતું કે, તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કોવિંદને સમર્થન આપવા જઈ રહ્યા છે. થોડા દિવસો બાદ લાલુ યાદવના ઘરે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલુ અને નીતીશ સતત કંઇકને કંઇક વાત કરતા હોય તેવી તસવીરો પણ સામે આવી હતી. કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને નીતીશના નિર્ણયને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નીતિશ કુમાર હવે શું કરશે?
પરંતુ તે પછી જ ઈફ્તાર પાર્ટીમાં નીતિશે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રામનાથ કોવિંદને સમર્થન આપવાના છે. તે સમયે લાલુ યાદવ પણ તેમની સાથે ઉભા હતા. આવી સ્થિતિમાં પહેલો મોટો રાજકીય ફટકો ત્યારે આરજેડીને આપવામાં આવ્યો હતો. આ પછી નીતીશ કુમાર અને આરજેડી વચ્ચે અનેક મુદ્દાઓને લઈને વિવાદ વધતો ગયો. નીતીશની નારાજગી તેજસ્વીની કાર્યશૈલી વિશે પણ જણાવવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે, લગભગ એક મહિના પછી નીતિશ કુમારે ફરી પક્ષ બદલી નાખ્યો હતો. તેમણે આરજેડી, કોંગ્રેસ છોડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા અને બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બનાવી.
તે સમયે નીતીશ કુમારે કહ્યું હતું કે, તેમણે પોતાના અંતરાત્માની વાત સાંભળી છે અને મહાગઠબંધન છોડવાનો નિર્ણય લીધો છે. ત્યારે નીતિશે નિવેદનમાં કહ્યું હતું કે, અમે વિપક્ષી એકતા સાથે છીએ, પરંતુ એજન્ડા હોવો જોઈએ. અમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદને સમર્થન આપ્યું હતું, તેઓ બિહારના રાજ્યપાલ રહી ચૂક્યા છે, તે પછી અમારા પર કેવા આરોપો લાગ્યા. આપણી અને તેમની વિચારસરણીનો અવકાશ પણ અલગ છે. તેથી મેં મારા અંતરાત્માની વાત સાંભળી અને રાજીનામું આપ્યું.