ન્યૂ દિલ્હીઃ લોકસભા ચૂંટણીને માટે બિહાર એનડીએમાં સીટોને લઇને ભાગ પડી ગયાં છે. 40 લોકસભા સીટોવાળા રાજ્યમાં બીજેપી 17 જેડીયૂ 17 અને એલજેપી 6 સીટો પર ચૂંટણી લડશે. લોક જનશક્તિ પાર્ટીનાં નેતા રામવિલાસ પાસવાનને રાજ્યસભા પણ મોકલવામાં આવશે.
રવિવારનાં રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને બીજેપી અધ્યક્ષ અમિત શાહ બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે આ એલાન કર્યું. રામવિલાસ પાસવાન અને તેઓનાં પુત્ર ચિરાગ પાસવાન પણ આ દરમ્યાન હાજર હતાં.
એલજેપીએ 2014માં 40 લોકસભા સીટોમાંથી 7 પર ચૂંટણી લડી હતી અને છમાં જીત પણ હાંસલ કરી હતી. આ પહેલાં અમિત શાહ અને અરૂણ જેટલી સહિત બીજેપીનાં ઉચ્ચ નેતાઓએ લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન અને તેઓનાં પુત્રની સાથે ગુરૂવારનાં રોજ એક કલાકની મુલાકાત કરી જેથી તેઓનાં મતભેદ દૂર કરી શકાય.
ચિરાગ પાસવાને ટ્વિટ કર્યું હતું કે સીટનાં ભાગલાંની જાહેરાતમાં મોડેકથી સત્તાધારી ગઠબંધનને નુકસાન થઇ શકે છે. ચિરાગ પાસવાન ભાજપ સાથે પોતાની પાર્ટીનાં મતભેદોને સામે રાખવામાં વધુ સ્પષ્ટ થઇ રહ્યાં છે.