બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં 'મગજના તાવ' ના તાવ બાળકો પર કહેર વરસાવ્યો છે. ગત કેટલાક દિવસોમાં આ બીમારીથી 100થી વધુ બાળકોના તાવને કારણે મોત થઇ ચૂક્યા છે. અંગ્રેજી વેબસાઇટ ડેલી મેલ અને ધ ગાર્ડિયનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર બાળકોની મોત એક એવા ઝેરીલા પદાર્થને કારણે થયા છે જે લીચીમાં જોવા મળે છે.
રિપોર્ટ અનુસાર, મરનાર તમામ બાળકોમાં 'એક્યૂટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમ' ના લગભગ એક સમાન લક્ષણ જોવા મળ્યા છે. અહીં જાણવાનો પ્રયાસ કરીએ કે શું છે 'મગજનો તાવ' (AES) અને તેના લક્ષણ અને ઉપાય.
એક્યૂટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમ :
'એક્યૂટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમ'ને સામાન્ય ભાષામાં 'મગજનો તાવ' કહેવામાં આવે છે. ઇન્સેફ્લાઇટિસ માથા સાથે જોડાયેલી એક ગંભિર સમસ્યા છે. માનવીના માથામાં લાખો કોશિકાઓ અને તંત્રીકાઓ હોય છે. જેના કારણે શરીરના તમામ અંગ સુયોગ્ય રીતે કામ કરે છે. પરંતુ જ્યારે આ કોશિકાઓમાં સોજો આવે છે ત્યારે એ સ્થિતિને 'એક્યૂટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે.
શું છે 'મગજનો તાવ'
આ એક સંક્રમણ બીમારી છે. આ બીમારીના વાયરસ શરીરમાં પહોંચી લોહીમાં સામેલ થઇને પોતાનું પ્રજનન શરૂ કરી દે છે. શરીરમાં આ વાયરસની સંખ્યા વધી જતા લોહી સાથે ભળીને વ્યક્તિના માથા સુધી પહોંચી જાય છે. માથામાં પહોંચ્યા બાદ વાયરસ કોશિકાઓમાં સોજો લાવી દે છે. જેના કારણે શરીરની 'સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ' ખરાબ થઇ જાય છે.
'મગજનો તાવ' (AES) ના લક્ષણ
'મગજના તાવ'માં બાળકોને ખુબ જ તાવ આવે છે. શરીર ખેંચાય છે. બાળક કોઇ પ્રતિક્રિયા આપતું નથી. શરીરમાં કમજોરીને કારણે બાળક વારંવાર બેભાન થઇ જાય છે. શરીરમાં ધ્રુજારી સાથે વારંવાર ઝટકા મારે છે. આટલું જ નહીં પરંતુ શરીર પણ સુન્ન થઇ જાય છે.
બાળકો જ કેમ બને છે શિકાર
મોટાભાગે બાળકો જ મગજની બીમારીના શિકાર બને છે. બાળકોની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) ઓછી હોય છે. તે શરીર પર પડતા તડકાને સહન કરી શકતા નથી. જો શરીરમાં પાણીની અછત વર્તાય તો બાળકો જલ્દી જ હાઇપોગ્લાઇસીમિયાના શિકાર થઇ જાય છે. ઘણા મામલામાં બાળકોના શરીરમાં સોડિયમની કમી થઇ જાય છે. જોકે, કેટલાક ડૉક્ટર તેના સાથે સહમત નથી.
શું કહે છે શોધકર્તા
બિહારમાં આ બીમારીને 'ચમકી તાવ' તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2014માં પણ આ તાવને કારણે 150 મામલા સામે આવ્યા હતા. મગજમાં થતા આ ઘાતક તાવ પર વર્ષ 2015માં અમેરિકી શોધકર્તાઓએ રિસર્ચ કર્યું હતું. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રિપોર્ટ અનુસાર અડધી-પાકેલી લીચીને માણસ માટે ખતરનાક બતાવી છે. લીચીમાં જોવા મળતું એક વિશેષ પ્રકારનું તત્વ આ તાવનું કારણ બની શકે છે. જોકે, બીમારીનો ઇલાજ કરનારા ડૉક્ટરોનું માનીએ તો, એમનું કહેવું છે કે, આ તાવ પાછળ માત્ર લીચીને દોષીત ન ઠેરવી શકાય. ગરમીને કારણે પણ બાળકો આ બીમારીની ઝપટમાં આવી જાય છે.
કેમ છે લીચી ખતરનાક
માનવામાં આવે છે કે, ખાલી પેટ અને કાચી લીચી ખાવાથી ઇન્સેફ્લાઇટિસનો ખતરો ઘણો વધી શકે છે. જો ખાલી પેટ લીચી ખાઇને સૂઇ જવામાં આવે તો તે ખતરનાક બની શકે છે. આ ઉપરાંત નાના બાળકો જે કુપોષિત છે, તેમણે લીચી ન ખાવી જોઇએ.
'મગજના તાવ' ના ઉપાય-સાવધાની
1 'મગજના તાવ' થી પીડિત માણસના શરીરમાં પાણીની કમી ન વર્તાવી જોઇએ. ખુબ જ પાણી પીવું જોઇએ. બાળકોએ માત્ર પોષક સ્વાસ્થ્ય વર્ધક ખોરાક ખાવો જોઇએ.
2 રાત્રી ભોજન બાદ મીઠી વસ્તુ જરુર ખાવી.
3 'મગજનો તાવ'થી પીડિત બાળકોને થોડી-થોડી વાર પ્રવાહી પદાર્થ આપતા રહેવું જોઇએ. જેથી તેમના શરીરમાં પાણીની અછત ન થાય.
4 'મગજના તાવ' થી પીડિત બાળકોમાં હાઇપોગ્લાઇસીમિયા એટલે કે શુગરની કમી જોવા મળે છે.
5 બાળકોને કોઇપણ સંજોગોમાં ખરાબ થઇ ગયેલા ફળ ખાવા ન દેવા જોઇએ. બાળકોનો ગંદકીથી દૂર રાખવા જોઇએ.
6 ભોજન પહેલા તથા બાદમાં હાથ જરૂર ધોવડાવવા જોઇએ.
7 સ્વચ્છ પાણી પીવું. તથા બાળકોના નખ વધવા દો. તથા ગરમીના દિવસોમાં તડકામાં રમવાથી મનાઇ ફરવામી જોઇએ.