મુઝફ્ફર બાલિકા ગૃહ રેપ કાંડમાં વિપક્ષના વધતા દબાણની વચ્ચે બિહારની સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માએ રાજીનામું આપી દીધું છે. આ મામલાની તપાસ સીબીઆઇ કરી રહી છે અને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એની તપાસ મંજૂ વર્માના પતિ ચંદ્રેશ્વર વર્મા સુધી પણ પહોંચી શકે છે. ચંદ્રેશ્વર વર્મા પર આ મામલાના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરની સાથે સથિત સંબંધ હોવાનો આરોપ છે. આ પહેલા મંજૂ વર્માના રાજીનામાના પ્રશ્નો પર બિહાર સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે મંત્રીએ એમને મળીને સ્પષ્ટતા કરી દીધી છે. એમને કહ્યું કે કોઇ કારણ વગર કેવી રીકે જવાબદાર ગણવામાં આવે.
આ પહેલા બુધવારે મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શેલ્ટર હોમમાં સગીર બાળકીઓના યૌન ઉત્પીડનના આરોપી બ્રજેશ ઠાકપ અને ચંદ્રેશ્વર વર્મા સતત સંપર્કમાં હતા. આરોપ એવા પણ લાગ્યા છે કે આ વર્ષે બ્રજેશ ઠાકુરે મંજૂ વર્મા સાથે પણ ઘણી વખત ફોન પર વાતચીત કરી. જો કે મંજૂ વર્માએ એ આવા કોઇ સંબંધ હોવાની ના પાડી દીધી.
Muzaffarpur Shelter Home Case: Bihar Minister Manju Verma resigns. Her husband has been accused of having links with alleged mastermind Brajesh Thakur pic.twitter.com/ayxu5mo6xj
જણાવી દઇએ કે મુઝફ્ફરના એક શેલ્ટર હોમમાં 34 બાળકીઓ સાથે બળત્કારની ઘટના સામે આવ્યા બાદ પ્રાંત અને દેશના રાજકારણમાં હડકંપ મચી ગઇ છે. શેલ્ટર હોમ રેપ કેસમાં અત્યાર સુધી મુખ્ય આરોપી બ્રજેશ ઠાકોર સહિત 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે સીબીઆઇએ મુઝફ્ફપુર શેલ્ટર હોમ રેપ કેસની તપાસ પોતાના હાથમાં લઇ લીધી છે.