આ શખ્સ બિહારનાં મુઝફ્ફરપુરનો રહેનાર છે. જેનું નામ અશોક છે. અશોક પ્રધાનમંત્રી મોદીનાં સૌથી મોટા ચાહકોમાંનો એક છે. આમ તો અશોક મુઝફ્ફરપુરમાં જ ચા વેચવાનું કામ કરે છે પરંતુ પીએમ મોદી પ્રત્યેની દિવાનગી હંમેશા તેને તેમની પાસે લઇ આવે છે. ગુરૂવારનાં રોજ જ્યારે નરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી પદની શપથ લઇ રહ્યાં હતાં ત્યારે રાષ્ટ્રપતિ ભવનની બહાર બિહારનો આ શખ્સ ચા વેચી રહ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજનાં સમયમાં દેશનાં સૌથી લોકપ્રિય નેતા છે. તેમનાં પ્રત્યે લોકોની દિવાનગી એટલી હદે છે કે તેમનો ચાહક વર્ગ તેમનાં માટે કંઇ પણ કરવા તૈયાર છે. આજે અમે આપને આજે એક એવાં જ શખ્સની વાત કરવા જઇ રહ્યાં છીએ કે જે ન તો માત્ર પ્રધાનમંત્રી મોદીનો ચાહક જ નહીં પરંતુ દેશમાં જ્યાં-જ્યાં તેઓ રેલી કરવા જાય છે ત્યાં ત્યાં તે તે જતો હોય છે.
આ શખ્સ બિહારનાં મુઝફ્ફરપુરનો રહેનાર છે. જેનું નામ અશોક છે. અશોક પ્રધાનમંત્રી મોદીનાં સૌથી મોટા ચાહકોમાંનો એક છે. આમ તો અશોક મુઝફ્ફરપુરમાં જ ચા વેચવાનું કામ કરે છે પરંતુ પીએમ મોદી પ્રત્યેની દિવાનગી હંમેશા તેને તેમની પાસે લઇ આવે છે.
ગુરૂવારનાં રોજ જ્યારે નરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી પદની શપથ લઇ રહ્યાં હતાં ત્યારે રાષ્ટ્રપતિ ભવનની બહાર બિહારનો આ શખ્સ ચા વેચી રહ્યો હતો. આપ એ જાણીને હેરાન થઇ જશો કે પ્રધાનમંત્રી મોદીનાં શપથ ગ્રહણ સમારોહમાં આ શખ્સ માત્ર ચા વેચવા માટે બિહારથી દિલ્હી આવ્યા હતાં. હવે આ શખ્સની ચર્ચા પૂરા દેશમાં થઇ રહી છે.
અશોકે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ મુઝફ્ફરપુરમાં ચા વેચે છે અને દેશમાં જ્યાં પણ પ્રધાનમંત્રી મોદીજી સાર્વજનિક બેઠકનું આયોજન કરે છે ત્યાં જઇને તે ચા વેચવાની કોશિશ કરે છે.
અશોકે આ દરમ્યાન પોતાનાં પૂરા શરીર પર રાષ્ટ્રીય ધ્વજનાં રંગો (કેસરી, સફેદ, લીલો)નું પેટ કરાવી દીધું હતું અને તેની પર વચ્ચે નરેન્દ્ર મોદીનો ફોટો પણ છપાવેલો હતો. આ સાથે જ તેઓએ પોતાનાં બંને ખભાઓનાં બગલમાં નમો-નમો પણ લખાવ્યું હતું.
અશોક પ્રધાનમંત્રી મોદીનાં સ્વચ્છ ભારત અભિયાનનાં પણ જબરદસ્ત ફેન છે. એટલા માટે તેઓ પોતાની સાથે ડસ્ટબિન પણ લઇને આવ્યા હતાં. જેથી લોકો ચા પીને કપ આમ-તેમ ના ફેંકે પરંતુ ડસ્ટબિનમાં નાખી દે.