લોકસભા ચૂંટણીમાં મળેલ કારમા પરાજય બાદ RJD એ વિચાર-વિમર્શ શરૂ થઇ ગયો છે. લાલુ યાદવ-રાબડી દેવીના નિવાસ સ્થાને પાર્ટીની એક સમીક્ષા બેઠક યાજવામાં આવી છે. આ બેઠકમાં લોકસભામાં હાર પામેલ તમામ19 RJD ઉમેદાવારો સામેલ છે. આ સિવાય પાર્ટીના મુખ્યનેતા રાબડી દેવી સહિત તેજસ્વી યાદવ પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા છે.
તેજસ્વીના નેતૃત્વ મામલે પૂછવામાં આવેલ સવાલના જવાબમાં આરજેડીના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ કહ્યું કે, તેજસ્વી યાદવના નેતૃત્વ પર કોઇપણ પ્રકારના સવાલો ઉઠાવવામાં આવી રહ્યા નથી.
આપને જણાવી દઇએ કે, RJDને વર્તમાન લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. બિહારની 40 બેઠકોમાંથી પાર્ટીને એકપણ બેઠક પ્રાપ્ત થઇ શકી નથી. જે બાદ પાર્ટીમાં કલેહ થયો હોવાના સમાચારો પણ સામે આવ્યા છે.
આરજેડી નેતા મહેશ યાદવે સોમવારે કહ્યું હતું કે, લાલુ યાદવના દિકરી તેજસ્વી યાદવે આ શરમજનક હારનો સ્વીકાર કરીને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઇએ. લોકો હવે વંશવાદથી પરેશાન થઇ ચૂક્યા છે. હું નામ નહીં લઉ પરંતુ એવા કેટલાય ધારાસભ્યો છે જે ગૂંગળામ અનુભવી રહ્યા છે.