જીતનરામ માંઝીએ કહ્યું દારૂબંધીના કાયદાની આડમાં ગરીબો અને દલિતો પકડીને જેલમાં નાંખવામાં આવે છે. જ્યારે MP-MLA રાત્રે 10 વાગ્યા પછી મદીરાનું સેવન કરે છે
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ દારૂ બંધી અંગે મોટું નિવેદન આપ્યું
બિહારમાં શ્રીમંત અથવા પ્રભાવશાળી લોકો રાત્રે 10 વાગ્યા બાદ લિમિટમાં દારૂ પીવે છે
જીતન રામ માંઝીએ લોકોને પોતાના ઘરે દારૂ પીવાની સલાહ આપી
જીતનરામ માંઝીએ દારૂ બંધી અંગે મોટું નિવેદન આપ્યું
બિહારમાં દારૂબંધીને લઈને ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે. જેની વચ્ચે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ મોટું નિવેદન આપ્યું છે. માંઝીએ બિહારમાં પૂર્ણ દારૂબંધી દાવાની પોલ ખોલતાં કહ્યું છે કે, રાજ્યમાં ધનવાન અને પ્રભાવશાળી લોકો જેવા આઈએએસ, આપીએસ, ડોક્ટકર, એન્જીનીયર જેવા લોકો રાત્રે દારૂ પીવે છે.
બિહારમાં શ્રીમંત અથવા પ્રભાવશાળી લોકો રાત્રે 10 વાગ્યા બાદ લિમિટમાં દારૂ પીવે છે
બિહારના એક સ્કૂલના સમારોહમાં જીતનરામ માંઝીએ કહ્યું કે, આ તો ઓપન સીક્રેટ છે. અને સત્ય છે. જે લોકો શ્રીમંત છે કે, પ્રભાવશાળી છે. જેમકે, ડોક્ટર, એન્જીનીયર, આઈએએસ, આપીએસ જેવા લોકો રાત્રે 10 વાગ્યા બાદ લિમિટમાં દારૂ પીવે છે.અને દારૂબંધીના કાયદાની આડમાં ગરીબો અને દલિતોનો પકડીને જેલમાં નાંખવામાં આવે છે. અડધી બોટલ અને એક બોટલ દારૂ પીવા પર જેલ મોકલી દેવામાં આવે છે. અને જો કોઈ 50 લીટર કે 100 લીટર દારૂ સાથે પકડાય છે. તો તેને પણ જેલમાં મોકલોને
જીતન રામ માંઝીએ લોકોને પોતાના ઘરે દારૂ પીવાની સલાહ આપી
લોકોનો સલાહ આપતાં જીતન રામ માંઝીએ કહ્યું કે, આપ પણ તે મોટા લોકોની જેમ પોતાના ઘરે રાતે દારૂ પીવો કોઈને કંઈ પણ ખબર નહીં પડે. આપ દારૂ પીને રોડ પર નીકળો છો. તો તમારી ધરપકડ થાય છે. આપણા સમાજમાં રિવાઝ છે કે, દેવી દેવતાઓને પણ દારૂ ચઢાવવામાં આવે છે. દિવસ ભર મજૂરી કર્યા બાદ 50 છી 100 રૂપિયાની દારૂ ખરીદીને પીવે તો પોલીસ તેમને જેલમાં મોકલી દે છે. તેમણે કહ્યું કે આ આપણી સભ્યતામાં દારૂ છે. તેને હટાવી ના શકાય
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તાજેતરમાં કહ્યું હતું કે, તેઓ દારૂબંધીનો કાયદો પાછો નહી લે.
ઉલ્લેખનીય છે કે, બિહારમાં દારૂબંધી પર ચાલી રહેલી મોટી ચર્ચામાં તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સાફ કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈ પણ હાલમાં દારૂબંધીનો કાયદો પાછો નહી લે. અને તેના માટે હજુ કોઈ કઠોર પગલા લેવાની વાત પણ કહી હતી. નીતિશ કુમારના આ નિવેદન બાદ પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીનું આ નિવેદન સામે આવ્યું છે.