ખાગરિયા જિલ્લાની કેટલીક મહિલાઓ નસબંધી કરાવવા હોસ્પિટલ પહોંચી હતી, ડોક્ટરે આ મહિલાઓને બેભાન કર્યા વગર જ નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું
બિહારની આરોગ્ય વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા
મહિલાને બેભાન કર્યા વગર કર્યા ઓપરેશન
નસબંધીનું ઓપરેશન વખતે ઘટી હતી ઘટનાં
બિહારની આરોગ્ય વ્યવસ્થાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે. આ મામલો ખાગરિયા જિલ્લાનો છે જ્યાં ડોક્ટરોની બેદરકારી એવી રીતે જોવા મળી કે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વાસ્તવમાં ખાગરિયા જિલ્લાની કેટલીક મહિલાઓ નસબંધી કરાવવા હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ ડોક્ટરે એવી બેદરકારી દાખવી કે આ મહિલાઓને બેભાન કર્યા વગર જ નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું. આ દરમિયાન મહિલાઓ બૂમો પાડતી રહી અને રડતી રહી, પરંતુ ન તો તેમને બેભાન કરવામાં આવ્યા અને ન તો પીડાને રોકવા માટે કોઈ દવા આપવામાં આવી.
નસબંધી કરાવવા આવી હતી મહિલાઓ
આ ઘટના ખગરિયા જિલ્લાના અલૌલી બ્લોકના PHCની છે, જ્યાં ડૉ. ગુલ સનોવર પર આ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. નસબંધી કરાવવા પહોંચેલી મહિલાઓનો આરોપ છે કે તેમને બેભાન કર્યા વગર ઓપરેશન કરવામાં આવ્યું હતું. ચીરા વખતે ઘણી મહિલાઓને દુખાવો થતો હતો, પરંતુ ડોક્ટરે બેદરકારીની હદ વટાવી દીધી અને ચીરો પાડવાનું ચાલુ રાખ્યું. નસબંધીના ઓપરેશન માટે આવેલી મહિલા કુમારી પ્રતિમાના જણાવ્યા અનુસાર જ્યારે ડોક્ટરને પૂછવામાં આવ્યું કે તે એનેસ્થેસિયા આપ્યા વિના ઓપરેશન કેમ કરી રહી છે તો ડોક્ટરે કહ્યું કે ઓપરેશન બાદ દવા આપવામાં આવશે. તે પછી અમે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, પછી મારા પગ અને હાથ પકડીને ઓપરેશન કરવામાં આવ્યું.
Khagaria,Bihar: Women sterilized allegedly without being administered anaesthesia
Negligence happened.Anaesthesia wasn't given during operation but after it. It hurt too much:P Kumari,victim woman
It's matter of investigation.Action to be taken after it:Dr A Jha,civil surgeon pic.twitter.com/VcrGaiLCQE
વગર એનેસ્થેસિયા કર્યા ઓપરેશન
હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 મહિલાઓના ઓપરેશન સોય અને એનેસ્થેસિયા વગર કરવામાં આવ્યા હતા. બધાએ આનો વાંધો ઉઠાવ્યો પરંતુ કોઈએ સાંભળ્યું નહીં અને બધાને એનેસ્થેસિયા અને સોય વિના ઓપરેશન કરવામાં આવ્યું.
ઘેટા બકરાની જેમ રૂમમાં સુવડાવ્યા
સમગ્ર ઘટનાની માહિતી મેળવ્યા બાદ ખાગરિયાના સિવિલ સર્જન અમરનાથ ઝાએ જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ તેમણે આ મામલે પીએચસીના ઈન્ચાર્જ પાસેથી ખુલાસો માંગ્યો છે. તેમનું કહેવું છે કે જો આવું થયું હશે તો તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ચાર દિવસ પહેલા પણ ખાખરીયાના પરબતા પીએચસીમાં નસબંધી માટે આવેલી મહિલાઓને ઈન્જેક્શન આપીને પછી ઘેટાં-બકરાની જેમ રૂમમાં જમીન પર સુવડાવી દેવામાં આવ્યા હતા.