બિહારના JDUના ધારાસભ્ય ગોપાલ મંડલને જમીન વિવાદમાં કેટલાક આક્રોશિત ગ્રામલોકોએ તેમને બંધક બનાવ્યા હતા.
નીતીશકુમારના ધારાસભ્યની દાદાગીરી
જમીન પર કબજો કરવા પહોંચ્યા હતા ગોપાલ મંડલ
ગામલોકોએ બનાવી લીધા બંધક
રવિવારે જનતા દળ યૂનાઇટેડ ધારાસભ્ય ગોપાલ મંડળને ભાગલપુરમાં ગ્રામીણોને બંધક બનાવી લીધા હતા. ગામલોકોએ આરોપ લગાવ્યો છે કે ગોપાલ મંડલ 20 એકરની જમીનનો કબજો કરવા માટે પહોંચ્યા હતા. આ ઘટનાને લઇને સોમવારે ગોપાલ મંડલ સાથે જ્યારે પત્રકારોને સવાલ પૂછ્યો તો તેમણે વિવાદિત નિવેદન આપ્યું.
જેડીયૂ ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું કે, ગોપાલ મંડલ જો બંધક બન્યો તો સમજો મરી ગયા, વધુ લાઠીબાજ ગામલોકો ન હતા, બનિયા સૌ મારી સામે ટકશે? એક વખત અમે લાઠી પકડી લઇશું તો કેટલાક આદમીને ઢાળી દઇશું, લડાકૂ આદમી તો અમે છીએ જ, અમારી પાસે તો હંમેશા રિવોલ્વર રહે છે, જરૂર પડશે તો ઠોકી દઇશું.
જેડીયૂના ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું કે, ઘટના સ્થળે શું થાય છે તે અમે શું બતાવીશું, બની શકે કે આક્રોશમાં અમે જ તે લોકોને મારી દઇએ, તે જમીન અમે 9 મહિના પહેલા ખરીદી હતી અને ત્યાં શાળા બનાવવા માંગતા હતા પરંતુ ત્યાં ગામલોકોએ પોતાનું બાંધકામ કરી લીધું છે. વિધાનસભા 24 તારીખે પૂર્ણ થઇ રહી છે જ્યારબાદ અમે તેમને કહ્યું કે, અમે આવીશું અને સૌ પોતાની જમીનના કાગળ બતાવવા તૈયાર રહે.
જેડીયૂ ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું કે, જો જમીનનો ટુકડો મારા નામ પર નિકળશે તો અમે બુલડોઝર મંગાવીને તેમના ઘર તોડી નાખીશું. અમે તો માણસને તોડી દઇશું, જમીન શું છે? જો જમીન ગામલોકોની નિકળશે તો અમે હાથ જોડીને ત્યાંથી ચાલ્યા જઇશું. અમને જમીન ત્યાં નથી જોઇતી.