બિહારમાં એક તરફ ચમકી તાવે હાહાકાર મચાવ્યો છે ત્યારે આજરોજ મુઝફ્ફરપુર ખાતે આવેલ સરકારી હોસ્પિટલ શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલ (એસકેએમસીએચ)ના પાછળના ભાગમાં કેટલાક માનવ કંકાલ મળી આવ્યા હતા. માનવ કંકાલ મળી આવવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.
ચમકી અત્યાર સુધીમાં 145 બાળકોને ભરખી ગયો
ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલ બિહારમાં પ્રસરેલા એક્યૂટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (એઇએસ)ના કારણે છેલ્લા કેટલાક સમયગાળાથી ખુબ જ ચર્ચામાં છે. આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 108 બાળકોનાં મોત થઇ ચૂક્યા છે. તો આ તરફ બિહાર રાજ્યની વાત કરવામાં આવે તો તાજેતરમાં પ્રાપ્ત થેલય આંકડાઓ મુજબ પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 145 બાળકો આ બીમારીનો ભોગ બનીને કાળનો કોળીયો બન્યા છે.
ઘટના સ્થળે પહોંચી હોસ્પિટલની એક ટીમ
ANIના જણાવ્યા મુજબ, હોસ્પિટલના પાછળના હિસ્સામાં કેટલાક માનવ કંકાલ મળી આવ્યા છે. હોસ્પિટલના વહીવટી તંત્રએ આ મામલે તપાસ કરાવવાની વાત કરી હતી. તો આ મામલો પ્રકાશમાં આવતા જ દવાખાનાની એક ટીમે કંકાલ મળી આવવાની જગ્યાનું જાત નિરીક્ષણ કરવા માટે પહોંચી હતી.
Bihar: Human skeletal remains found behind Sri Krishna Medical College & Hospital, Muzaffarpur. SK Shahi, MS SKMCH says,"Postmortem dept is under Principal but it should be done with a humane approach. I'll talk to the Principal & ask him to constitute an investigating committee" pic.twitter.com/TBzuo2ZnqP
આ ઘટના અંગેની ગંભીરતાથી નોંધ લઇને એસકેએમસીએચ અધિક્ષક ડૉ. એસ કે શાહીએ કહ્યું હતું કે, પોસ્ટમોર્ટમ વિભાગ પ્રિન્સિપલના અધિકાર ક્ષેત્રમાં છે. હું આ બાબત અંગે પ્રિન્સિપલ સાથે વાત કરીશ અને આ મામલાની તપાસ માટે કમિટિ બનાવવાની પણ રજૂઆત કરીશ.
Bihar: An investigation team of Sri Krishna Medical College & Hospital, Muzaffarpur visits the spot where human skeletal remains have been found. SKMCH's Dr Vipin Kumar, says, "Skeletal remains have been found here. Detailed information will be provided by the Principal." pic.twitter.com/Te32KjfHOK
છેલ્લા કેટલાક સમયગાળાથી હોસ્પિટલ ચર્ચામાં
આપને જણાવી દઇએ કે, દર્દીઓને ખાટલો તથા હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવ તથા બાળકોનો યોગ્ય ઇલાજ નહીં કરી શકવાને કારણે આ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયગાળાથી ખાસ ચર્ચામાં આવી છે. એક્યૂટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રોમથી બાળકોના મોતનો આંકડો વધ્યા બાદ કેટલાય મોટો માથાંઓ આ હોસ્પિટલની મુલાકાતે આવી ચૂક્યા છે પરંતુ પરીણામ શૂન્ય છે.