બિહારમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઇ છે ત્યારે પૂરની પરિસ્થિતિને લઇને પૂછવામાં આવતાં CM નીતિશ કુમાર ભડકી ગયાં હતા. નીતિશ કુમારે કહ્યું કે દેશ અને દુનિયામાં કેટલા ભાગમાં પૂર છે? નીતિશ કુમારે પૂરથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી.
નીતિશ કુમારે કહ્યું, દેશ અને દુનિયામાં કેટલા ભાગમાં પૂર છે?
નીતિશ કુમારે પટનમાં આવેલા પૂરને કુદરતી આપત્તિ બતાવી
નીતિશ કુમારે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
બિહારમાં પૂરના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. પટના ભારે વરસાદના કારણે આવેલા પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. બિહારના સીએમ નીતિશ કુમારે ગઇકાલે પૂરથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી. નીતિશ કુમાર પૂરગ્રસ્ત વિસ્તારના પીડિતો સાથે વાતચીત પણ કરી.
પૂરની પરિસ્થિતિ પર સવાલ પૂછતાં ભડક્યાં નીતિશ કુમાર
પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલા બિહારના સીએમ નીતિશ કુમારને જ્યારે પુરની પરિસ્થિતિ પર સવાલ પૂછવામાં આવતાં સામે પ્રશ્ન પૂછ્યો હતો. નીતિશ કુમારે કહ્યું કે દેશ અને દુનિયાના કેટલા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ છે? શું પટનાના કેટલાક વિસ્તારમાં પાણી જ એકમાત્ર સમસ્યા છે? તેમણે પૂરને પ્રાકૃતિક આપત્તિ ગણાવી.
#WATCH Bihar Chief Minister Nitish Kumar after visiting flood-affected areas in Patna: I am asking in how many parts of the country & across the world, there have been floods? Is water in some parts of Patna the only problem we have? What happened in America? #BiharFloodspic.twitter.com/9XfNcuZr0H
બિહારમાં આવેલા ભારે વરસાદના કારણે પટનામાં જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 49 લોકોનાં મોત નિપજ્યાં છે. ભારે વરસાદના કારણે આવેલા પૂરના પગલે લોકો પલાયન કરવા મજબૂર બન્યાં છે. 15 જિલ્લામાં 17 લાખથી વધુ લોકો પૂરગ્રસ્તથી પ્રભાવિત થયા છે. એનડીઆરએફની 22 ટીમ સતત લોકોનું રેસ્ક્યુ કરી રહી છે.