બિહારમાં કોરોના વાયરસ અને પૂરનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસ પણસતત માથું ઉંચકી રહ્યો હોવાના કારણે ફક્ત 5 દિવસમાં નવા કેસની સંખ્યા બમણી થઈ છે. રાજ્યમાં 5000 દર્દીઓ વધી ચૂક્યા છે. પૂર અને કોરોનાએ બિહારમાં હાહાકાર મચાવ્યો છે અને સ્થિતિ બેહાલ બની છે.
બિહાર થયું બેહાલ
પૂર અને કોરોનાના કહેરથી લોકો થયા ત્રાહિમામ
5 જ દિવસમાં બિહારમાં નવા કેસની સંખ્યા થઈ બમણી
બિહારમાં લગાવાયું 15 દિવસનું લૉકડાઉન
કોરોનાના કેસને વધતા જોઈને રાજ્યમાં ફરીથી 15 દિવસનું લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. મળતી માહિતી અને રિપોર્ટના આધારે 11 જુલાઇએ રાજ્યમાં કોરોનાના 631 કેસ હતા, 12 જુલાઈએ 798, 13 જુલાઈએ 1269, 14મીએ 1317, 15મીએ 1325 થયા હતા. આ જ રીતે 12 જુલાઈએ સંક્રમિત કેસની સંખ્યા 14575 હતી તે વધીને 15 જુલાઈ સુધીમાં 19284 પહોંચી છે. કોરોનાના વધતા કહેર સામે સરકાર પણ લાચાર બની છે.
બિહારમાં ચોમાસાનું રૌદ્ર રૂપ
બિહારની નદીઓએ પણ રૌદ્ર રૂપ ઘારણ કર્યું છે. ગોપલગંજના કિનારાના 3 ડઝનથી વધુ ગામ પૂરના કહેરમાં ફસાયા છે. અનેક ઘરો જમીનદોસ્ત અને જળસમાધિ લઈ ચૂક્યા છે. સતલ ઘાટલ પુલનો એક ભાગ ધસી પડ્યો છે. તેને બનાવવામાં 264 કરોડનો ખર્ચ કરાયો હતો અને 8 વર્ષે બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે બિહારમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત થયા છે. આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 20173 થઈ છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં પટનામાં 5, ગયા અને મુંગરમાં 2-2, ઔરંગાબાદ, બેગૂસરાય, ભાગલપુર, નવાદા અને સારણમાં 1-1 વ્યક્તિના મોત થયા છે. બુધવારે અહીં 1320 નવા કેસ આવ્યા હતા.તો અત્યાર સુધીમાં રાજ્યમાં 13019 લોકો સાજા થઈ ચૂક્યા છે.