બિહારના મુજફ્ફરપુર અને અન્ય કેટલાક જિલ્લામાં 'ચમકી' તાવથી મૃત્યુનો સિલસિલો ચાલુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ તાવથી ગત એક મહિનામાં ઓછામાં ઓછા 36 બાળકોના મોત થઇ ચુક્યા છે. એમાંથી 12 બાળકોના મોત છેલ્લા 24 કલાકમાં થયા છે. આ બિમારીને લઇને કેન્દ્ર સરકારે એક હાઇ લેવલની ટીમ બનાવી છે, જે બુધવારે બિહારના પ્રભાવિત વિસ્તારની સફર કરવાની છે.
બિહારમાં રહસ્યમય તાવનો મૃતાંક હવે 36 થઇ ગયો છે. ખાસ કરીતે ઉત્તર બિહારમાં આ જીવલેણ બીમારીને લઇ ભયનો માહોલ છે. ઇમર્જન્સી જેવી સ્થિતિ ઊભી થઇ છે. હજુ પણ એ વાત જાણવા મળી નથી કે આખરે આ બીમારી શું છે?
ઉત્તર બિહારના છ જિલ્લા મુઝફ્ફરપુર, પૂર્વ ચંપારણ, શિવહર, સીતામઢી અને વૈશાલીમાં રહસ્યમય તાવનો કહેર જારી છે. સ્થાનિક ભાષામાં લોકો તેને ચમકી તાવ કહે છે. તેનાં લક્ષણના આધારે ડોક્ટર તેને એઇએસ એટલે કે એકટુડ ઇન્સેફેલાઇિટસ સિન્ડ્રોમ જણાવી રહ્યા છે. ચમકી તાવ પ થી ૧પ વર્ષનાં બાળકોને થાય છે, તેનાથી બાળકોને સખત તાવ આવે છે અને શરીરમાં ખેંચ આવે છે તેમજ હાઇપોગ્લાઇસીનિયાની ફરિયાદ આવે છે.
હાઇપોગ્લાઇસીિનયામાં શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઘટી જાય છે. શુગર લેવલ ઘટવાથી બાળકો મૃત્યુ પામે છે. ઘણાં બાળકોમાં સોડિયમની માત્રા ઘટી જાય છે. મુખ્યપ્રધાન પણ આ વાતને લઇ ચિંિતત છે. તેઓ ખુદ કહે છે કે આ અંગે જાગૃતિની કમી છે.
મુઝફ્ફરપુરમાં છેલ્લા ર૪ કલાકમાં હોસ્પિટલમાં ભરતી કરાયેલાં પાંચ બાળકો મોતને ભેટ્યાં છે. ર૩ નવાં બાળકો મંગળવારે બંને હોસ્પિટલમાં ભરતી કરાયાં હતાં. મુઝફ્ફરપુરના સિવિલ સર્જન ડો.શૈલેશ પ્રસાદે જણાવ્યું કે ૧ર૪ બાળકોનો ઇલાજ ચાલી રહ્યો છે.
મુઝફ્ફરપુરના જિલ્લા અધિકારી આલોક રંજન ઘોષે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સાથે મેડિકલ અધિકારીઓને પણ અલ્ટિમેટમ આપતાં કહ્યું કે બાળકોના ઇલાજમાં કોઇ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.