બિહારની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલ પેટા ચૂંટણીમાં સત્તાધારી ભાજપ અને જેડીયૂએ હારનો સામનો કરવો પડ્યો છે. પાંચમાંથી માત્ર એક બેઠક પર જ ગઠબંધનના ઉમેદવારની જીત થઇ શકી છે. સૌથી ચોંકાવનારી વાત છે કે કિશનગંજ બેઠક પર એઆઇએમઆઇએમે ખાતુ ખોલાવ્યું છે.
બિહારની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીમાં ભાજપ-જેડીયૂની હાર
પેટાચૂંટણીમાં એક બેઠક પર જ ગઠબંધનના ઉમેદવારની જીત થઇ
બિહારની કિશનગંજ બેઠક પર AIMIMએ ખાતુ ખોલાવ્યું
બિહારની કિશનગંજ બેઠક પર ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લમીન (AIMIM)એ ખાતુ ખોલાવ્યું છે. એઆઇએમઆઇએમ ઉમેદવાર કમરુલ હોદાએ બીજેપી ઉમેદવાર સ્વીટી સિંહને 10,000થી વધારે મતોથી હરાવ્યા છે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા સીમાંચલ વિસ્તારની કિશનગંજ બેઠક પર એઆઇએમઆઇએમ ઉમેદવારની જીતનો અર્થ ન માત્ર રાજદના સમીકરણ માટે પરંતુ સત્તાધારી પાર્ટીના સુપ્રિમો નીતિશ કુમાર માટે પણ ખતરાની ઘંટી છે.
નોંધનીય છે કે, બિહારની પેટાચૂંટણીમાં એક બેઠક પર જ ગઠબંધનના ઉમેદવારની જીત થઇ છે. બે પર રાજદના જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. સૌથી ચોંકવાનારી વાત છે કે, મુસ્લિમ મતદારોમાં પણ નીતિશ કુમારની છબી લોકપ્રિય રહી છે. તોપણ તેમના ગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે આ બેઠક જેડીયૂના ખાતાની હતી.
રાજદ પણ મુસ્લિમ-યાદવના રાજકીય સમીકરણ પર રાજનીતિ કરતી રહે છે. અને આ વિસ્તારમાં તેનો દબદબો રહ્યો છે. પરંતુ હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીની જીત તેને પણ પચી શકે તેમ નથી. જોકે, ન રાજદે અને ન જેડીયૂએ પોતાના ઉમેદવાર અહીં ઉતાર્યા હતા. જોકે, કોંગ્રેસે સાઇદા બાનૂને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા કે પરંતુ તે ત્રીજા નંબર પર રહ્યા.
2019ની લોકસભા ચૂંટણીમાં કિશનગંજ બેઠકથી કોંગ્રેસના મોહમ્મદ જાવેદે જીત નોંધાવી હતી પરંતુ AIMIMએ ત્યારે સંકેત આપ્યા હતા કે આવનારા દિવસોમાં તે અન્ય પાર્ટીઓને પડકાર આપી શકે છે. ત્યારે એઆઇએમઆઇએમના લોકસભા ઉમેદવાર અખ્તરુલ ઇમામ 26.78 ટકા વોટ હાંસલ કરી ત્રીજા સ્થાન પર રહ્યા હતા.