બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર 12 અને 13 ઓક્ટોબરના રોજ પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારના અભિયાનના શ્રીગણેશ કરશે આ બંને દિવસે નીતિશ કુમાર વર્ચ્યુઅલ રેલી દ્વારા 35 વિધાનસભા બેઠક પર લોકો સાથે જનસંપર્ક કરશે. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ 12 તારીખે સાંજે નીતિશ કુમાર વર્ચ્યુઅલ રેલી કરશે તેમાં છ જિલ્લાની 11 બેઠક પર મતદાતાઓનો સંપર્ક કરશે.
સૂત્રોના જણાવ્યાં મુજબ ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર સંયુક્ત રેલી પણ કરશે. જો કે તેને લઇને હજી સુધી કોઇ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો નથી. જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર ત્રણ તબક્કાને લઇને પીએમ નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર કુલ 12 રેલીઓને સંબોધન કરી શકે છે.
જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની રેલીઓને લઇને તારીખ અને સ્થાન પર હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે અને આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.
જય પ્રકાશ જયંતિ પર બિહારમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું કે દેશમાં નરેન્દ્ર મોદી અને બિહાર નીતિશ કુમારના હાથમાં સુરક્ષિત છે. નડ્ડાએ કહ્યું કે બિહારમાં જે વિકાસ થઇ રહ્યો છે, તેને આગળ વધારવો જરૂરી છે કે બિહાર નીતિશ કુમારના નેતૃત્વમાં NDAની પાસે રહે.