નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) ને લઈને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યું છે. બિહારના કિશનગંજમાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે સીએએ સામેનો વિરોધ કોરોના મહામારીને કારણે અટકી ગયો હતો, પરંતુ જ્યારે પરિસ્થિતિ સામાન્ય રહેશે, ત્યારે વિરોધ ફરી શરૂ થશે.
CAA ને લઈને ઓવૈસીએ મોટું નિવેદન
કોરોનાને કારણે વિરોધ કરાયો હતો બંધ
હવે ફરીવાર વિરોધ થશે શરૂ
આરજેડી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું હતું કે, સીમાંચલમાં સ્થાયી થયેલા લોકોને ભાજપ અને આરએસએસ દ્વારા ઘૂસણખોર કહેવામાં આવતું હતું, તે સમયે આરજેડી કે કોંગ્રેસે મોં ખોલ્યું ન હતું.
સીએએ એક કાયદો છે જે બંધારણની વિરુદ્ધ છે : ઓવૈસી
સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે સંઘના વડા મોહન ભાગવતને સમજવું જોઈએ કે આપણે ભારતના મુસ્લિમો નાના બાળકો નથી જેઓ તેમની ગેરસમજોમાં વિશ્વાસ કરશે, સીએએ એક કાયદો છે જે બંધારણની વિરુદ્ધ છે, તે આપણા બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે.
બિહારમાં સંબોધી સભા
બિહારની ઘણી બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઓવૈસીએ કહ્યું હતું કે નીતીશ કુમારે બિહારના લોકોને જૂઠ્ઠાણું કહ્યું હતું કે જ્યારે સીએએ અને એનઆરસી હશે, ત્યારે તે 2010 ના આધારે નહીં થાય, તે ભારત સરકારના આધારે હશે જે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યારે રજિસ્ટર બનાવવામાં આવે છે, ત્યારે કોઈપણ તેમાં વાંધો ઉઠાવી શકે છે.
તેલંગાનાનું ઉદાહરણ આપતાં ઓવૈસીએ કહ્યું કે ત્યાં મુખ્યમંત્રીએ નિર્ણય લીધો કે સીએએ અને એનઆરસી ત્યાં લાગુ નહીં થાય. 28 ઓક્ટોબરે બિહારની 71 બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાન યોજવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે CAA મુદ્દે મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે આ કાયદાથી કોઈને કોઈ ખતરો નથી. દેશમાં મુસ્લિમ સમુદાયને ભ્રમિત કરવાનું આ કાવતરું છે.
તેમના આ નિવેદન ઉપર ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તીખી પ્રતિક્રિયા આપી છે.
ભાજપે એવું નથી કહ્યું કે CAA + NRCનો એક સાથે અર્થ શું છે
તેમણે કહ્યું કે અમે કોઈ નાના બાળકો નથી કે અમને ફોસલાવી દેવાય. ભાજપે એવું નથી કહ્યું કે CAA + NRCનો એક સાથે અર્થ શું છે? જો તે ફક્ત મુસ્લિમો માટે જ નથી તો પછી બધા કાયદામાંથી ધર્મ શબ્દને દૂર કરો.