બિહારમાં વિધાનસભા સીટો માટે મતદાનની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી છે. પહેલા ચરણનું મતદાન 28 ઓક્ટોબર, બીજા ચરણનું 3 નવેમ્બરે, ત્રીજા ચરણનું મતદાન 7 નવેમ્બર અને
પરિણામ 10 નવેમ્બરે આવશે. આ સમયે વોટિંગ માટેનો સમય 1 કલાક વધારાયો છે અને સાથે જ કોરોના દર્દીઓ પણ છેલ્લા 1 કલાકમાં વોટિંગ કરી શકશે. એક બૂથ પર 1000 વોટર્સ વોટિંગ કરી શકશે.
આજે જ બિહાર વિધાનસભા ચૂંટણીની થઈ શકે છે જાહેરાત
બિહારમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ
આ વખતે 3 તબક્કામાં ચૂંટણી યોજાશે
बिहार में पहले चरण के मतदान 28 अक्टूबर को होंगे। दूसरे चरण के मतदान 3 नवंबर को होंगे। तीसरे चरण के मतदान 7 नवंबर को होंगे और मतगणना 10 नवंबर को होगी: सुनील अरोड़ा, मुख्य चुनाव आयुक्त #BiharElectionshttps://t.co/Ej1hY62SWT
ગુજરાતામાં આઠ બેઠક ઉપર પેટાચૂંટણી યોજાવાની છે પરંતુ આજે બિહારની વિધાનસભાની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ગુજરાતની પેટાચૂંટણી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેને પગલે ગુજરાતમાં હાલ પેટાચૂંટણી નહીં યોજાય. ગુજરાતની પેટાચૂંટણીની તારીખો જાહેર નથી થઈ. 29 તારીખે પેટાચૂંટણી માટે બેઠક યોજાશે.
આટલા મતદાતાઓ કરશે મતદાન
બિહારમાં કુલ મતદાતા 7 કરોડ 79 લાખ છે જેમાંથી મહિલા વોટર 3 કરોડ 39 લાખ છે. જ્યારે પુરુષ વોટરની સંખ્યા 3 કરોડ 79 લાખ છે. મતદાનનો સમય 1 કલાક વધારાશે. એટલે કે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. કોરોના દર્દીઓ પણ વોટિંગ કરી શકશે. તેમને માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાતાને કોરોના સંકટમાં સેફ્ટી સાથે મતદાનનો અધિકાર અપાશે. આ માટે સરકાર 6 લાખ પીપીઈ કિટ અને 46 લાખ માસ્ક અને 6 લાખ ફેસ શીલ્ડનો ઉપયોગ કરશે.
આ 10 મુદ્દા પર થશે બિહારની ચૂંટણી
કોરોના સંકટ, જાતિગત સમીકરણો, પૂર, વિસ્થાપિતોનું દર્દ, સુશાંતનું મોત, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, વીજળી સંકટ અને ખરાબ સડકો. આ 10 મુદ્દા પર થશે બિહારની ચૂંટણી.
આ હશે ચૂંટણીના નવા નિયમો
આ વખતે બિહારમાં કોરોના સમયમાં પહેલી ચૂંટણી હોવાથી નવા સુરક્ષા નામાંકનને લઈને ચૂંટણી યોજાશે. ઓનલાઈન રેલી યોજાશે. પ્રચાર પણ ઓનલાઈન કરાશે. નામાંકન પણ ઓનલાઈન કરાય તેવી વ્યવસ્થા કરાશે. એક બુથ પર 1000 લોકો હોય તેવી વ્યવસ્થા કરાશે.
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને કોરોના સંકટના કારણે પહેલાં વિધાનસભા ચૂંટણી કરાવવાના વિરોઘ વિપક્ષે કર્યો હતો. ચૂંટણી આયોગના કહેવા પ્રમાણે ચૂંટણી સમયસર થશે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ચૂંટણી પંચે આ માટેની તારીખો પણ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરે તેવી શક્યતાઓ છે.
કોરોના પ્રોટોકોલનું રખાશે ધ્યાન
કોરોના સંકટ બાદ દેશમાં પહેલી ચૂંટણી છે જેમાં નિર્વાચન આયોગે કોરોના પ્રોટોકોલના આધારે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. મતદાન કેન્દ્રોની સંખ્યા દોઢ ગણી વધારવામાં આવી છે. મતદાન કર્મીઓની સંખ્યા પણ વધારવામાં આવી છે જેથી દરેક મતદાન કેન્દ્રો પર મતદાતાઓની સંખ્યા ઘટાડીને સીમિત કરી શકાય.
મતદાતાઓ માટે રહેશે આ કડક નિયમો
દરેક મતદાન કેન્દ્રો પર મતદાતાઓને માસ્ક લગાવીને અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને આવવાનું સૂચન કરાયું છે. તેમ છતાં સુરક્ષા માટે દરેક મતદાન કેન્દ્રો પર માસ્ક, હેન્ડ ફ્રી સેનેટાઈઝિંગ અને શરીરનું તાપમાન માપવાની પણ વ્યવસ્થા કરાઇ છે. મતદાન શરૂ થતાં પહેલાં બૂથને પણ સંપૂર્ણ રીતે સેનેટાઈઝ અને ડિસઈન્ફેક્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. દરેક મતદાતાઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.