ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ લાગુ પડશે આચારસંહિતા
બિહાર વિધાનસભા ચૂંટણી દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં સૌથી અલગ, અનોખી અને ચેલેન્જપૂર્ણ રહેશે. કોરોના સંકટના કારણે પહેલાં વિધાનસભા ચૂંટણી કરાવવાના વિરોઘ વિપક્ષે કર્યો હતો. પરંતુ ચૂંટણી આયોગના કહેવા પ્રમાણે ચૂંટણી સમયસર થશે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
चुनाव आयोग की प्रेस कांफ्रेंस बिहार चुनाव पर होगी: शेफाली शरण, प्रवक्ता, भारत निर्वाचन आयोग https://t.co/ydEXg57Usl
કોરોના સંકટ બાદ દેશમાં પહેલી ચૂંટણી છે જેમાં નિર્વાચન આયોગે કોરોના પ્રોટોકોલના આધારે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. મતદાન કેન્દ્રોની સંખ્યા દોઢ ગણી વધારવામાં આવી છે. મતદાન કર્મીઓની સંખ્યા પણ વધારવામાં આવી છે જેથી દરેક મતદાન કેન્દ્રો પર મતદાતાઓની સંખ્યા ઘટાડીને સીમિત કરી શકાય.
મતદાતાઓ માટે રહેશે આ કડક નિયમો
દરેક મતદાન કેન્દ્રો પર મતદાતાઓને માસ્ક લગાવીને અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને આવવાનું સૂચન કરાયું છે. તેમ છતાં સુરક્ષા માટે દરેક મતદાન કેન્દ્રો પર માસ્ક, હેન્ડ ફ્રી સેનેટાઈઝિંગ અને શરીરનું તાપમાન માપવાની પણ વ્યવસ્થા કરાઇ છે. મતદાન શરૂ થતાં પહેલાં બૂથને પણ સંપૂર્ણ રીતે સેનેટાઈઝ અને ડિસઈન્ફેક્ટ કરવાની સલાહ આપવામાં આવી છે.