બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ થઇ રહી છે અને થોડા દિવસમાં જ મતદાન થવાના છે ત્યારે ભાજપ અને જેડીયુ વચ્ચે થયેલ એક મિટિંગની ખૂબ ચર્ચા થઇ રહી છે.
બિહારમાં સાથે ચૂંટણીમાં ઉતર્યા ભાજપ અને જેડીયુ
બેઠકો પર ચર્ચા વિચારણા દરમિયાન ભાજપ-જેડીયુના નેતાઓ વચ્ચે થઇ હતી ખેંચતાણ
જનતા દળના નેતાએ કહી દીધું કે ભાજપ અસંસ્તુષ્ટ હોય તો પોતાના દમ પર ચૂંટણી લડી લે
ઉમેદવારોની યાદી કાઢવામાં જ ગઠબંધનનો બધો સમય વીતી ગયો
બિહારમાં વિધાનસભા ચૂંટણી માથે છે અને તેના કારણે રાજ્યભરમાં ચૂંટણીનો ધમધમાટ છે. એવામાં હાલમાં મોટા ભાગની પાર્ટીઓ ઉમેદવારોની જાહેરાતમાં લાગેલી છે જેથી પ્રચાર કરવા માટે સમય કાઢી શકાય. હવે મતદાનમાં વીસ દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે પણ આ ચૂંટણીમાં ઉમેદવારોની લિસ્ટ કાઢવામાં જ પાર્ટીઓએ ખૂબ સમય લઇ લીધો છે.
જ્યારે બેઠકમાં જદયૂ નેતા સંભળાવી દીધું કે...
NDAમાં બેઠકોની વહેંચણીને લઈને ભાજપ અને જનતા દળ વચ્ચે ખૂબ લાંબા સમય સુધી ચર્ચા વિચારણા ચાલી. એવામાં જ્યારે ગઠબંધનમાં તેને લઈને ચર્ચા ચાલી રહી હતી ત્યારે જદયૂના નેતા લલ્લન સિંહે કહી દીધું હતું કે ભાજપ સિત વહેંચણીથી ખુશ ન હોય તો એકલી ચૂંટણી લડી લે.
ભાજપ નેતાઓ પણ થઇ ગયા હતા નારાજ
આ ખેંચતાણ બે સપ્તાહ પહેલા થઇ હતી જ્યારે પટનામાં ચૂંટણીમાં ઉતરવા મુદ્દે ચર્ચા થઇ રહી હતી. ભારતીય જનતા પાર્ટી તરફથી બનાવવામાં આવેલ પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને મહાસચિવ ભુપેન્દ્ર યાદવ જદયૂના નેતાઓ સાથે બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં જ્યારે ભુપેન્દ્ર યાદવે બેઠકો મામલે ભાજપને બીજા નંબર પર મોકલી દેવાનો મુદ્દે ઉછાળ્યો તો જદયૂના નેતા લલ્લન સિંહ ભડકી ગયા. તેમણે સાફ શબ્દોમાં ભાજપ નેતાઓને સંભળાવી દીધું કે ભાજપ સીટોની વહેંચણીથી અસંતુષ્ટ છે તો તે પોતાના દમ પર જ ચૂંટણી લડી લે.
હવે બંને વચ્ચે બની ગઈ છે સહમતી
મીડિયા અહેવાલોથી બતાવવામાં આવ્યું કે લલ્લન સિંહની આ વાતથી દેવેન્દ્ર ફડણવીસ અને ભુપેન્દ્ર યાદવ બંને નારાજ થઇ ગયા હતા. જોકે બાદમાં હવે બંને પાર્ટીઓ વચ્ચે સહમતી બની ગઈ છે જ્યાં JDU 122 અને ભાજપ 121 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.
ચિરાગ પાસવાન એકલા મેદાનમાં પણ લોકોમાં ચર્ચા છે કે આ ભાજપની જ ચાલ
નોંધનીય છે કે ચિરાગ પાસવાનની લોજપા આ ચૂંટણીમાં એકલા હાથે લડવા જઈ રહી છે. પાર્ટી કહી રહી છે કે તે ભાજપના વિરોધમાં નથી અને ચૂંટણી પછી તેના સાથે ગઠબંધન કરી લેશે. પણ જનતા દળના વિરોધમાં દરેક બેઠક પર ઉમેદવારો ઉતારશે. માનવામાં આવી રહ્યું છે કે પાસવાનની આ નીતિ ભાજપની જ યોજનાનો હિસ્સો છે. આ કરવાથી લોજપા પાસે 100 બેઠક પર ઉમેદવાર ઉતારવાનો મોકો મળી ગયો. લોકો કહી રહ્યા છે કે બિહારમાં ભાજપ હવે મોટી ભૂમિકામાં આવવા માંગે છે અને પાર્ટીએ પણ તેના સંકેત આપ્યા હતા.