બિહારમાં પહેલ ચરણની વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ જારી છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના એક ટ્વીટને લઈને વિવાદ થઈ ગયો છે. હકિકતમાં રાહુલે પોતાના ટ્વીટમાં મહાગઠબંધનના પક્ષમાં લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. બીજી તરફ ભાજપે રાહુલની આ ટ્વીટ પર વાંધો ઉઠાવતા ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી શકે છે.
રાહુલે મહાગઠબંધનના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી
પહેલા તબક્કાના મતદાન માટે આપી તમામને શુભકામનાઓ
બિહારમાં પ્રથમ તબક્કાની 71 બેઠક પર મતદાન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણમાં બુધવારે મતદાતાઓ પાસે ન્યાય, રોજગાર અને કિશાન - મજૂર માટે મહાગઠબંધનના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે આ વખતે ન્યાય, રોજગાર, ખેડૂત- મજૂર માટે પોતાનો વોટ ફક્ત મહાગંઠબંધન માટે. બિહારમાં પહેલા તબક્કાના મતદાન માટે આપ તમામને શુભકામનાઓ.
इस बार न्याय, रोज़गार, किसान-मज़दूर के लिए
आपका वोट हो सिर्फ़ महागठबंधन के लिए।
बिहार के पहले चरण के मतदान की आप सभी को शुभकामनाएँ।#आज_बदलेगा_बिहार
ઉલ્લેખનીય છે કે બિહારમાં કોંગ્રેસ પાર્ટી અને રાજદ અન્ય દળોની સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે. આને મહાગઠબંધનનું નામ આપ્યું છે. જ્યારે મહાગઠબંધનના રાજદ નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણાવવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપ પાર્ટીએ નીતિશ કુમારની જદયુની સાથે મળીને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન હેઠળ ચૂંટણીમાં ઉમેદવાર ઉતાર્યા છે. નીતિશ કુમારના રાજગ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજે બિહારમાં પ્રથમ તબક્કાની 71 બેઠક પર મતદાન થવા જઇ રહ્યું છે. જેમાં 8 મંત્રીઓ સહિત અનેક દિગ્ગજોના ભાવી EVMમાં કેદ થઇ જશે. કુલ 1 હજાર 66 ઉમેદવારોના ભાવીનો આજે નિર્ણય થશે. 1066 ઉમેદવારોમાં 952 પુરૂષ અને 114 મહિલા ઉમેદવાર છે.