બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જનતા દળથી ગઠબંધન તોડીને એકલી ચૂંટણી મેદાનમાં કૂદી જનારી લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને કહ્યું છે કે તે પીએમ મોદીના હનુમાન છે. ચિરાગ પાસવાનના આ નિવેદન બાદ આખા રાજ્યમાં રાજકારણ ગરમાયું છે.
બિહારમાં ભાજપ-જેડીયુથી અલગ ચૂંટણી લડી રહી છે LJP
LJPના નેતાએ કહ્યું કે હું પીએમ મોદીના હનુમાન જેવો
પીએમ મોદી મારા દિલમાં વસે છે : ચિરાગ પાસવાન
ચિરાગ પાસવાન અલગ લડે છે પણ પીએમ મોદીના વખાણ કરતા થાકતા નથી
નોંધનીય છે કે બિહારમાં ભાજપ અને JDUથી અલગ થઇને લોજપા ચૂંટણીમાં લડી રહી છે. એવામાં ઘણીવાર અંદરોઅંદર ભાજપ પર આરોપ લાગી રહ્યો છે કે લોજપાને અલગ કરીને ભાજપે જ નીતીશ કુમારનું નુકસાન કર્યું છે. ત્યારે બીજી તરફ લોજપાના નેતા ચિરાગ પાસવાન વારંવાર એવા નિવેદન આપી રહ્યા છે જેનાથી ભાજપ ગઠબંધન માટે સમાસ્યા ઉભી થઇ રહી છે. ચિરાગ કહી રહ્યા છે કે બિહારમાં તે ભાજપ સાથે સરકાર બનાવશે. ચિરાગ પાસવાન પ્રચારમાં પણ પીએમ મોદીની તસવીર વાપરી રહ્યા છે.
ભાજપ પણ હવે ચિરાગ પાસવાન પર હુમલા કરી રહી છે. ભાજપ નેતાઓ કહી રહ્યા છે કે ચિરાગ પાસવાન ભ્રમની રાજનીતિ કહી રહ્યા છે.
ચિરાગે કહ્યું હું પીએમનો હનુમાન
ભાજપ નેતાઓને જવાબ આપતા ચિરાગે કહ્યું કે હું પીએમ મોદીની સાથે છું અને રહીશ. તસવીરને લઈને પણ વિવાદ થયો છે કે આ લોકો પીએમની તસવીર લગાવી શકે નહીં. તો હું એ લોકોને કહેવા માંગુ છું કે મારે કયાંય તસવીર લગાવવી નથી. વડાપ્રધાન મારા દિલમાં વસે છે. હું તેમનો હનુમાન છે. કોઈ દિવસ છાતી ચીરીને બતાવી દઈશ કે તે મારા દિલમાં છે.
#WATCH I don't need to use PM Modi's photos for campaigning. He lives in my heart, I am his Hanuman. If needed, I'll tear open my chest and show it: LJP chief Chirag Paswan#BiharElectionspic.twitter.com/KhVPG4w2J2
પ્રકાશ જાવડેકરે પહેલા કહ્યું હતું કે ચિરાગ પાસવાને બિહારમાં પોતાનો અલગ રસ્તો અપનાવ્યો છે અને અલગ ચૂંટણી લડી રહ્યા છે. તે ભ્રમ કરવાની રાજનીતિ કરી રહ્યા છે. ખોટા નિવેદનબાજીથી સફળતા મળશે નહીં. નોંધનીય છે કે જાવડેકર સ્પષ્ટતા કરવા માંગતા હતા કે બિહારમાં ભાજપની કોઈ બી ટીમ નથી.