નીતિશ કુમારના શિક્ષણ મંત્રી ડો. મેવાલાલ ચૌધરીને લઇને RJD સતત નિશાન સાધી રહ્યા છે ત્યારે આજે RJD દ્વારા એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાતા નજરે પડી રહ્યા છે પરંતું તે યોગ્ય રીતે ગાઇ શકતા નથી.
બિહાર સરકારના શિક્ષણમંત્રીનો વીડિયો વાયરલ
રાષ્ટ્રગીતનું ગાન કરતા પણ નથી આવડતું
તેજસ્વી યાદવે ટ્વીટ કરીને સાધ્યું નિશાન
ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટ પર RJDએ લખ્યું હતું કે, ભ્રષ્ટાચારના આરોપના મામલામાં આરોપી બિહારના શિક્ષણમંત્રી મેવાલાલ ચૌધરીને રાષ્ટ્રગીતનું ગાન કરતા પણ નથી આવડતું. નીતિશ કુમારમાં શરમ છે કે નહીં ? અંતરાત્મા ક્યાં ડુબાડી દીધી?
તેજસ્વી યાદવે ટ્વીટ કરીને સાધ્યું નિશાન
RJD નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે મેવાલાલ ચૌધરીને શિક્ષણ મંત્રી બનાવીને ભ્રષ્ટાચાર કરવાનું ઇનામ અને લૂંટવાની ખૂલ્લી છૂટ આપી છે ?
भ्रष्टाचार के अनेक मामलों के आरोपी बिहार के शिक्षा मंत्री मेवालाल चौधरी को राष्ट्रगान भी नहीं आता।
4 જાન્યુઆરી 1953ના રોજ જન્મેલા શિક્ષણમંત્રી મેવાલાલ ચૌધરીની શૈક્ષણિક અભ્યાસ MSC છે. તેમણે પીએચડી પણ કર્યું છે. રાજનીતિમાં આવતા પહેલા વર્ષ 2015 સુધઈ તેઓ ભાગલપુર કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ રહી ચૂક્યા છે.
તેજસ્વીએ લગાવ્યા આરોપ
RJD નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને લખ્યું કે, મુખ્યમંત્રી નિતીશ કુમારે આસિ. પ્રોફેસરની નિયુક્તિ અને ભવન નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર મામલામાં IPC 409,420,467,468,471 અને 120B હેઠળ આરોપી મેવાલાલ ચૌધરીને શિક્ષણમંત્રી બનાવીને ભ્રષ્ટાચાર કરવાની છૂટછાટ આપી છે.