બિહારના ઉપમુખ્યમંત્રી અને વિત્ત મંત્રી સુશીલ મોદીએ દેશની આર્થિક સ્થિતિને લઇને ટિપ્પણી કરી છે.
શ્રાવણ-ભાદરવામાં મહિનામાં મંદી રહે છે - સુશીલ મોદી
હાલના વિત્ત વર્ષના પહેલા ત્રિમાસિકમાં GDP દર 5% પહોંચી ગયો.
બિહારમાં આ મંદીનો કોઇ અસર નથી- સુશીલ મોદી
સુશીલ મોદીએ કહ્યુ કે,શ્રાવણ-ભાદરવામાં મહિનામાં મંદી રહતી હોય છે. તમને જણાવી દઇએ કે, GDP ના આંકડાઓને લઇને તેમણે આ કીધું છે. હાલના વિત્ત વર્ષના પહેલા ત્રિમાસિકમાં આર્થિક વિકાસ દરમાં 6 વર્ષથી સૌથી ઓછો થઇ 5% પહોંચ્યો છે. એક વર્ષમાં જ GDP માં 3% નો ઘટાડો થયો છે. જોકે બિહારના ડેપ્યુટી સીએમ અને વિત્ત મંત્રી માને છે કે, ''ચૂંટણીમાં મળેલી હારને લઇને કેટલાક લોકો દેશમા મંદીનો શોર મચાવીને પરાજયની ખીજ ઉતારી રહ્યાં છે''
ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ ટ્વીટ કર્યુ કે, દર વર્ષે શ્રાવણ-ભાદરવામાં અર્થવ્યવસ્થામાં મંદી રહે છે, પરંતુ આ વખતે રાજનીતિક દળો આ મંદીનો વધારો શોર મચાવીને પરાજયની ખીજ ઉતારી રહ્યાં છે
केंद्र सरकार ने अर्थव्यवस्था में तेजी लाने के लिए 32 सूत्री राहत पैकेज की घोषणा और 10 छोटे बैंकों के विलय की पहल से लेंडिंग कैपिसिटी बढ़ाने जैसे जो चौतरफा उपाय किये हैं, उनका असर अगली तिमाही में महसूस किया जाएगा।
તમને જણાવી દઇએ કે, શ્રાવણ અને ભાદરવો હિન્દૂ કેલેન્ડરનો પાંચમો અને છઠ્ઠો મહિનો છે. આ મહિનામાં હિંદૂ માન્યતા અનુસાર, નવા સામાનની ખરીદી નથી કરતા અને ન તો કોઇ નવુ કામ શરૂ કરે છે.
બિહારના વિત્ત મંત્રીએ કહ્યુ કે, ''આર્થિક મંદીને લઇને ચિંતા કરવાની કોઇ વાત નથી કેમકે કેન્દ્ર સરકાર ઘણા ઉપાયો કરી રહી છે. સુશીલ મોદીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે અર્થવ્યવ્સ્થામાં તેજી લાવવા માટે 32 સૂત્રી રાહત પેકેજની જાહેરાત કરી છે અને 10 નાના બેંકોના મર્જરની વાત કરી છે. સરકારના આ ઉપાયોની અસર આવતા ત્રિમાસિકમાં જોવા મળશે.''
બિહારના ઉપમુખ્યમંત્રી અને વિત્ત મંત્રી સુશીલ મોદીએ કહ્યુ કે, ''બિહારમાં મંદીની કોઇ ખાસ અસર નથી, આ માટે જ વાહનોના વેચાણમાં ઘટાડો થયો નથી. સરકાર જલ્દીથી રાહતનુ ત્રીજુ પેકેજ જાહેર કરી શકે છે.''