બિહારમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. ભારે પવન અને વિજળી પડવાથી ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ સરકારે કરી છે. તો બિહાર સરકારે પીડિતોના પરિવાર માટે 4 -4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
23 લોકોમાંથી 5 લોકોના મોત દિવાલ પડતા થયા છે. જયારે વિજળી પડતા 6 લોકોના મોત થયા છે. બિહારના મોટાભાગના શહેરો વાવાઝોડા અને વરસાદને લીધે પ્રભાવિત થયા છે. મૃતકોમાં બાળકો મહિલાનો પણ સમાવેશ થયો છે.