દેશમાં અંતિમ તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે બિહારના સીએમ નીતીશકુમારે ચૂંટણી કાર્યક્રમ પર સવાલો ઉઠાવ્યા છે. નીતીશકુમારે એક સલાહ આપતા કહ્યું કે, હાલ ગરમી વધુ છે અને તેના પગલે લાંબી ચૂંટણી ચલાવવી યોગ્ય નથી.
આ સાથે તેમણે કહ્યું કે, દેશમાં ફેબ્રુઆરી-માર્ચ કે પછી ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી થવી જોઈએ. સાથો સાથ ઓછા તબક્કામાં મતદાન યોજાવું જોઈએ. જેના માટે એક સર્વદળીય મીટિંગ પણ થવી જોઈએ. લોકસભા ચૂંટણીમાં કાર્યક્રમમાં બદલાવ કરવાની જરૂર છે.
Chief Minister of Bihar, Nitish Kumar: Elections should not be held over such a long duration, there was a long gap between each phase of voting. I will write to leaders of all parties to build a consensus on this. #LokSabhaElections2019pic.twitter.com/Qrh2ocDJpo
મેં ચૂંટણી દરમિયાન જોયું કે, ગરમીથી લોકો પરેશાન થઈ જાય છે. જેથી કરીને ગરમીમાં ચૂંટણી પ્રક્રિયા લાંબી ના હોવી જોઈએ. ચૂંટણી કાર્યક્રમમાં સુધારા માટે દેશની તમામ પાર્ટીઓને પત્ર લખીશું. એક તબક્કાથી બીજા તબક્કાની ચૂંટણી વચ્ચે આટલી મોટી સમય મર્યાદા ના હોવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, દિગ્ગજ નેતાઓના ભાવિનો થશે ફેંસલો આજે યોજાયેલ આજે થવાનો છે. છેલ્લા તબક્કામાં દેશના આઠ રાજ્યોની 59 સીટો પર મતદાન યોજાશે. આ તમામ સીટો પર પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો ફેંસલો થશે.
Bihar CM Nitish Kumar on BJP Sadhvi Pragya Singh's statement 'Godse is patriot': It is condemnable. What action the party takes is their internal matter. We should not tolerate such a statement. pic.twitter.com/QvCwALtRdT
લોકસભા-2019ની ચૂંટણીનું આગામી 23 મેના રોજ પરિણામ જાહેર થશે. જો કે સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે આયોગના નિર્દેશ પર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ગુરૂવાર રાતથી જ બંધ થઇ ગયો છે. 2019ની લોકસભાની ચૂંટણી આખરે પુરી થવા તરફ જઈ રહી છે.