બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવાની જાહેરાત કરી છે.
બિહારમાં હવે થશે જાતિ આધારિત વસતી ગણતરી
વસતી ગણતરીનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
કોઈ વ્યક્તિ છૂટી ન જાય તેની ખાસ કાળજી
CM નીતિશ કુમારનું મોટું એલાન
સોમવારે જનતા દરબાર મુખ્યમંત્રી કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સીએમ નીતિશ કુમારે જણાવ્યું કે અમે રાજ્યમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ માટેનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. કયા માધ્યમથી આ વસતી ગણતરી કરવામાં આવશે તે અંગે તૈયારી ચાલી રહી છે.
કોઈ બાકી રહી ન જાય તેવી વસતી ગણતરી કરીશું-નીતિશ કુમાર
નીતિશ કુમારે જણાવ્યું કે અમે એવી જાતિ વસતી ગણતરી કરીશું જેમાં કોઈ બાકી રહી નહીં જાય. મુખ્યમંત્રીએ કહ્યું કે બિહાર સરકાર પારદર્શક રીતે વસ્તી ગણતરી હાથ ધરશે. કોઈ ભૂલ નહીં થાય. તમામ રાજકીય પક્ષો સંમત થયા છે. અમે ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક કરવાના છીએ. ડેપ્યુટી સીએમએ તેમના પક્ષના તમામ લોકો સાથે વાત કરી છે. તારીખ નક્કી કર્યા બાદ તરત જ સર્વપક્ષીય બેઠક યોજાશે.
An investigation is being done over the incident of empty liquor bottles found in Patna. Probe is underway on both angles, whether someone has really drunk alcohol there or bottles are just thrown away in the area. Officials are on alert. I'm reading all reports: CM Nitish Kumar pic.twitter.com/qeqPhbgMhm
જાતિ આધારિત વસતી ગણતરી કરનાર બિહાર બીજુ રાજ્ય
ભારતમાં અત્યાર સુધી બે રાજ્યોએ જાતિ આધારિત વસતી ગણતરી કરવાની જાહેરાત કરી છે. કર્ણાટક બાદ હવે બિહાર પણ જાતિ આધારિત વસતી ગણતરી કરશે.
પ્રધાનમંત્રીએ મોદીને મળ્યા 10 પાર્ટીના નેતા
મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સહિત બિહારમાં 10 પક્ષોના નેતાઓએ ઓગસ્ટમાં આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નેતાઓએ વડા પ્રધાન સાથે ૨૦૨૧ ની વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીની માંગ અંગે ચર્ચા કરી હતી.
બિહારમાં ભાજપ સિવાય તમામ પક્ષો જાતિ ગણતરીની માંગ કરી રહ્યા છે. જોકે કેન્દ્રની મોદી સરકારે તેનો ઇનકાર કરી દીધો હતો.