બિહારમાં છેલ્લા ઘણા દિવસોતી લૂ અને ચમકી તાવનો કહેર જોવા મળી રહ્યો છે. ચમકી તાવથી જ્યાં 125થી વધારે બાળકોના મોત થયા છે ત્યારે બીજી બાજુ લૂ લાગવાથી 75થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે હવાઇ નિરીક્ષણ કરી સર્વેક્ષણ કરશે.
હવાઇ નિરીક્ષણ બાદ બિહારના સીએમ નીતિશ કુમાર ગયાના એએનએમએમસીએચ જશે, જ્યાં લૂ અને ગરમીના કારણે બીમાર લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચમકી તાવથી એકલા મુઝફ્ફરપુરમાં અત્યાર સુધીમાં 114 લોકોના મોત નિપજ્યાં છે.
સતત ચમકી તાવથી થઇ રહેલી મોતના કારણે બિહારની નીતિશ સરકાર અને પ્રશાસન લોકો સાથે વિપક્ષના નિશાના પર છે. નીતિશ કુમારને જ્યારે દિલ્લીમાં બાળકોના મોત પર સવાલ પુછવામાં આવતા તેમણે જવાબ આપવાનું ટાળી દીધુ હતું. આ અગાઉ મંગળવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડે. સીએમ સુશીલ મોદીએ 20 દિવસ બાદ શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓને લોકોના ગુસ્સાનો શિકાર બનવુ પડ્યું હતું.
બિહારમાં ચમકી તાવ અને લૂ એ લોકોને ભરડામા લીધા છે. લૂ અને ચમકી તાવના પગલે 200થી પણ વધુ લોકોનાં મોત થયા છે. ત્યારે હવે સીએમ નીતીશકુમાર આજે હવાઈ નિરીક્ષણ કરશે. ચમકી તાવના પગલે 130થી પણ વધુ બાળકોનાં મોત થયા છે. જ્યારે લૂ લાગતા 75થી પણ વધુ લોકોનાં મોત થયા છે.
બિહારના સીએમ નીતીશકુમાર આજે નવાદા, ગયા અને ઔરંગાબાદ જિલ્લાના અનેક વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે. નીતીશકુમાર ગયાના A.N.M.M.C.H. જશે અને અહીં અસરગ્રસ્તોની મુલાકાત કરીને તેઓના હાલ ચાલ પૂછશે. ઉલ્લેખનીય છે કે હજુ પણ મુઝફ્ફરપુરમાં 414થી પણ વધુ બાળકો સારવાર હેઠળ છે. માત્ર ચોવીસ જ કલાકમાં 75થી પણ વધુ નવા કેસ નોંધાયા છે.