આજે એક દિવસમાં બે મોટા નેતા કોરોના પોઝિટીવ થયા છે, તેમના બન્નેના સંક્રમિત થવાની ખબર વારાફરતી આવી.
રાજકીય સર્કલમાં કોરોના પ્રસર્યો
હવે બિહારના સીએમ નીતિશ કુમાર કોરોના પોઝિટીવ
આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ સંક્રમિત થયેલા છે
દેશમાં હવે રાજકીય સર્કલમાં કોરોના પ્રસરી રહ્યો છે. આજે પહેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પછી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ કોરોના પોઝિટીવ થયા છે.
કોરોના પોઝિટીવ થયા બાદ નીતિશ આઈસોલેટ થયા
સીએમ નીતિશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે હું કોરોના પોઝિટીવ થયો છે તથા સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી. કોરોના પોઝિટીવ થયા બાદ નીતિશ કુમારે પોતાની જાતને આઈસોલેટ કરી દીધી હતી. બિહાર સીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સીએમ નીતિશ કુમાર કોરોના ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાં છે. ડોક્ટરોની સલાહ પ્રમાણે તેઓ હોમ આઈસોલેશનમાં છે. તેમણે તમામને કોવિડ અનુરુપ સાવધાની રાખવાની અપીલ કરી.
माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार कोरोना जाँच में पॉज़िटिव पाये गए हैं। चिकित्सकों की सलाह पर वह होम आइसोलेशन में हैं। उन्होंने सभी से कोविड अनुकूल सावधानियां बरतने की अपील की है।
રાજનાથમાં કોરોનાના હળવા લક્ષણો
રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે હું આજે કોરોના પોઝિટીવ થયો છું. મારામાં કોરોનાના હળવા લક્ષણો છે. હું હોમ ક્વોરન્ટાઈન થયો છું. મારા સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરવાની તથા આઈસોલેટ થવાની અપીલ કરુ છું.
I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.
અત્યાર સુધી 4 મોટા નેતા કોરોના પોઝિટીવ થયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને હવે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટીવ થયા છે. હવે નીતિશ કુમાર પણ સંક્રમિત થયા છે.
અત્યાર સુધી 3 સીએમ કોરોના પોઝિટીવ થયા
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોરોના પોઝિટીવ થઈ ચૂક્યા છે અને હવે બિહારના નીતિશ કુમાર પણ સંક્રમિત થયા છે.