પયગંબર મહોમ્મદ પર ટિપ્પણીને લઈને દેશભરમાં અને વિદેશમાં પણ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા પર લોકોમાં ગુસ્સો છે, ત્યારે હવે આ મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની પ્રતિક્રિયા આપી છે.
પયગંબર પર ટિપ્પણી વિવાદ શાંત થયો નથી
નૂપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં થયા હતા પ્રદર્શન
બિહાર સીએમ નીતિશ કુમારે આ વાત કહી
બિહારના સીએમ નીતિશ કુમારે નૂપુર શર્મા મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. સીએમ નીતિશ કુમારે કહ્યું છે કે, ભાજપે નૂપુર શર્મા પર એક્શન તો લઈ લીધી, તેના વિરુદ્ધ કેસ પણ દાખલ થયો છે, તો પછી હોબાળો કરવાની ક્યાં જરૂર છે ? સીએમ નીતિશે કહ્યું કે, અમુક લોકો જાણી જોઈને અંદરોઅંદર ઝઘડા કરાવા માગે છે. જરૂરી નથી કે, કોઈ પણ વસ્તુ સ્વાભાવિક હોય, હકીકતમાં પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી આપીને શુક્રવારની નમાઝ બાદ વિરોધ પ્રદર્શન અને હિંસાના કેસ સામે આવી રહ્યા છે. શુક્રવારે રાંચિમાં બે લોકોના મોત થઈ ગયા, તો વળી યુપીમાં પથ્થરમારો અને આગની ઘટનાઓ પણ સામે આવી હતી.
નીતિશ કુમારે કહ્યું કે, તેના પર ધ્યાન આપવાની જરૂર નથી
નૂપુર શર્મા પર સોમવારે જ્યારે સીએમ નીતિશ કુમારે જનતા દરબાર બાદ સવાલ કરવામાં આવ્યો તો, તેમણે કહ્યું કે, ભાજપે નૂપુર શર્મા પર એક્શન તો લીધી, તેના વિરુદ્ધ કેસ પણ દાખલ થયા છે. તેમ છતાં પણ કોઈ વાત થઈ રહી છે, તો તેના પર ધ્યાન આપવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમુક લોકો જાણી જોઈને અંદરોઅંદર ઝઘડા કરાવા માગે છે. જરૂરી નથી કે, કોઈ પણ વસ્તુ સ્વાભાવિક હોય.
ઝારખંડ સરકાર કાર્યવાહી કરે
તો વળી બિહાર સરકારના પથ નિર્માણ મંત્રી નીતિશ નવીન પર ઝારખંડમાં થયેલા હુમલા પર સીએમ નીતિશ કુમારે કહ્યું કે, આ ઝારખંડ સરકારની ફરજ છે, કે આ મામલો જોવે અને તેના પર જરૂરી કાર્યવાહી કરે. સીએમે કહ્યું કે, બિહાર સરકારે તાત્કાલિક આ મુદ્દે ઝારખંડ સરકાર સામે ઉઠાવ્યો છે.