બિહારમાં આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યૂનિયન વચ્ચે ગઠબંધનને લઇને હલચલ તેજ જોવા મળી રહી છે. જેડીયુ નેતા અને રણનીતિકાર પ્રશાંત કિશોર સતત નિવેદન આપી રહ્યાં છે જેનો પ્રત્યુત્તર ભાજપ પણ આપી રહ્યું છે. આ વચ્ચે હવે જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને ગઠબંધનમાં બધુ ઠીક છે.
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-જેડીયું ગઠબંધનને લઇને હલચલ તેજ
બધુ ઠીક છે - ગઠબંધન પર બોલ્યાં નીતિશ કુમાર
બંને પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે પ્રતિક્રિયા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સતત બંને પાર્ટીઓ તરફથી આપવામાં આવી રહેલા નિવેદન પર સવાલ પૂછવામાં આવતા જવાબમાં માત્ર કહ્યું કે 'બધુ ઠીક છે'.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસો પહેલાં પ્રશાંત કિશોરે નિવેદન આપ્યું હતું કે બિહારમાં જેડીયુએ વિધાનસભા ચૂંટણીમાં વધારે બેઠક પર ચૂંટણી લડવી જોઇએ. જો કે આ નિવેદન પર ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી હતી.
જો સતત નિવેદનની આપ-લે વચ્ચે આજે ફરી પ્રશાંત કિશોરે ટવિટ કરી બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપ નેતા સુશીલ મોદી પર નિશાન સાધ્યું છે. પીકેએ ટવિટ કરી લખ્યું કે બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ અને JDU સૌથી મોટા પક્ષની ભૂમિકા બિહારની જનતાએ નક્કી કરી છે, કોઇ બીજી પાર્ટીના નેતા અથવા હાઇ નેતૃત્વએ કરી નથી.
Bihar Chief Minister Nitish Kumar on BJP-JDU alliance in the state: Sab theek hai. pic.twitter.com/ceWqFNVYHe
પહેલા નાગરિકતા સંશોધન એક્ટ પછી એનઆરસી વિરુધ્ધ મોરચો માંડનાર પ્રશાંત કિશોર પર પણ ભાજપ તરફથી પણ આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. ભાજપના એમએલસી નવલ કિશોરે પીકે પર નિશાન સાધતાં કહ્યું કે તે કઇ ચિડીયાનું નામ છે, તે કોણ છે જે ગઠબંધનની ફોર્મ્યુલાને લઇને નક્કી કરનાર.