લોકડાઉન અને કોરોના વાયરસની સમસ્યા સામે લડી રહેલા બિહારના લોકો માટે નીતિશ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ બિહારમાં એવા પરિવારોને પણ 1000 રૂપિયા આપવામાં આવશે જેમની પાસે રાશન કાર્ડ નથી. નીતિશ સરકારે આ અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લીધો.
કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
બિહારમા યોજાયેલી કેબિનેટની બેઠકમાં 8 એજન્ડ પર મહોર લાગી, જેમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય આ રહ્યો હતો. બિહાર સરકાર તરફી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગ્રામ્ય વિસ્તારમાં 18.18 લાખ પરિવારને 1000 રૂપિયા આપવામાં આવે.
આ રકમ એવા લોકોને આપવામાં આવશે જેઓ પાસે રાશન કાર્ડ નથી. આ સિવાય નીતિશ સરકારે આ બેઠકમાં શહેરી વિસ્તારોમાં રહેતા લગભગ સવા તીન લાખ પરિવારોને પણ આ લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રકમ RTGS દ્વારા આપવામાં આવશે.
ઘણા લોકોનું બની શક્યું નથી રાશનકાર્ડ
ખરેખર તો બિહાર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રાજ્યના ઘણા લોકો પાસે રાશનકાર્ડ નથી. કેબિનેટની બેઠકમાં જે 8 એજન્ડા પર મહોર લાગી છે તેમાં ગાડીના ટેક્સની ચૂકવણીમાં છૂટ આપવાનો નિર્ણય સામેલ છે.
આ નિર્ણય હેઠળ 30 જૂન 2020 સુધી છૂટછાટ આપવામાં આવી છે. નીતિશ સરકારે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય પર મહોર લગાવી. સરકારે આ નિર્ણય લીધો છે કે વાહન માલિક 30 જૂન 2020 સુધી ટેક્સ જમા કરાવી શકે છે. આ છૂટ માલવાહકક, પેસેંજર વ્હીકલ વગેરે જેવી ગાડીઓ માટે હશે.