બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સામે હાલ દારૂબંઘીને લઈને ઘણા સવાલો ઉઠ્યા છે. જ મામલે તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે દારૂ પીશો તો મરશો વિપક્ષે આ રટણ કરતા રહેવું જોઈએ.
બિહારના મુખ્યમંત્રી દારૂબંધી બાબતે વિપક્ષને કહી મોટી વાત
દાર પિશો તો મરશો આ વાત રહેતા રહેવા વિપક્ષને અપીલ કરી
વિપક્ષ દ્વારા દારૂબંધી મામલે ફરી વિચાર કરવા કહેવામાં આવ્યું
બિહારમાં ગત સપ્તાહે ઝેરી દારૂ પિવાને કારણે ઘણા લોકોના મોત થયા હતા. જેને લઈને મુખ્યમંત્રી નીતીશ કુમાર સતત વિવાદોમાં ઘેરાયેલા છે. ત્યારે હવે તેઓ વિપક્ષ પર બરોબરના ભડક્યા છે. જેમા તેમણે કહ્યું કે દારૂ બંધીને લઈને અમુક લોકો મારી વિરુદ્ધ થઈ ગયા છે સાથેજ તેમણે કહ્યું કે દારૂ પિશો તો મરશો વિપક્ષે આ વાત કહેતી રહેવી જોઈએ.
ઝેરી દારૂને કારણે 40 લોકોના થયા હતા મોત
ગત સપ્તાહે બિહારના ગોપાલગંજમાં ઝેરી દારૂ પિવાને કારણે 40 લોકોના મોત થયા હતા. જેને લઈને મુખ્યમંત્રી નીકીશ કુમાર પર લોકો સતત પ્રહાર કરી રહ્યા છે. આ મામલે ભાજપ દ્વારા પણ તેમના પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સાથેજ દારૂબંધીના કાયદાને લઈને ફરી વિચાર કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.
વિપક્ષ પર મુખ્યમંત્રીના પ્રહાર
સતત વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા પ્રહારોને લઈને નીતીશ કુમારે કહ્યું કે દારૂબંધીનો કાયદો દરેક પાર્ટીની સર્વસંમતિથી લાગૂ કરવામાં આવ્યો હતો. જોકે હવે અમુક લોકો મારી વિરુદ્ધમાં થઈ ગયા છે. વધુમાં તેમણે કહ્યું કે રાજકીય પાર્ટીઓએ દારૂ પિશો તો મરશો આ વાત કહેતે રહેવી જોઈએ.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બેઠક બોલાવી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નીતીશ કુમારે એક બેઠક બોલાવામાં આવી છે. ,જે બેઠકમાં દારૂબંધી કાયદાની સમીક્ષા કરવામાં આવશે. સાથેજ ઝેરી દારૂ પિવાને કારણે જે લોકોના મોત થયા છે. તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં બિહાર સરકારના બધા મંત્રીઓ હાજર રહેશે સાથેજ દરેક જિલ્લામના ડીએમ અને એસપી પણ ભાગ લેશે.
2016માં દારૂબંધી અમલમાં મુકાઈ હતી
ઉલ્લેખનીય છે કે 2015માં ચૂંટણી પહેલા નીતીશ કુમારે દારૂબંધીનો કાયદો આપવા વાયદો કર્યો હતો. બાદમાં જ્યારે તેઓ 2016માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે દારૂબંધીનો કાયદો અમલમાં મુક્યો હતો. જોકે ઝેરી દારૂ પિવાને કારણે 40 જેટલા લોકોના મોત થવાને કારણે હવે આ કાયદાને લઈને પુર્નવિચારની માગ ઉઠી છે.